back to top
Homeભારતજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ પ્રવાસીને ગોળી મારી:બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત; બૈસરન ઘાટીની ઘટના, સુરક્ષાદળોનું...

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ પ્રવાસીને ગોળી મારી:બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત; બૈસરન ઘાટીની ઘટના, સુરક્ષાદળોનું સર્ચ-ઓપરેશન શરૂ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો છે. બૈસરન ઘાટીના ઉપરી ભાગમાં પ્રવાસીઓને ગોળી મારવામાં આવી છે. આ હુમલામાં બે લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઘટના બાદ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો છે. પહેલગામમાં પ્રવાસીઓ પર્વતની ટોચ પર ટ્રેકિંગ માટે જાય છે. આતંકવાદીએ ત્યાં હુમલો કર્યો હતો. ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, જેમાં બે પ્રવાસીઓને ગોળી વાગી હતી અને તેઓ ઘાયલ થયા હતા. જ્યારે બાકીનો વિસ્તાર સુરક્ષિત છે, કારણ કે આ વિસ્તાર પર્વતની ટોચ પર છે જ્યાં કોઈ સુરક્ષા નથી અને પોલીસ વ્યવસ્થા પણ નથી. 12 એપ્રિલના રોજ JCO શહીદ થયા હતા
આ પહેલાં 12 એપ્રિલે જમ્મુ જિલ્લાના અખનૂરમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 9 પંજાબ રેજિમેન્ટના JCO કુલદીપ ચંદ શહીદ થયા હતા. આ એન્કાઉન્ટર 11 એપ્રિલના રોજ મોડી રાત્રે અખનૂરના કેરી બટ્ટલ વિસ્તારમાં શરૂ થયું હતું. 11 એપ્રિલે જ કિશ્તવાડ જિલ્લાનાં ગાઢ જંગલોમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન ૩ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હતા. તેમાં ટોચના કમાન્ડર સૈફુલ્લાહનો પણ સમાવેશ થાય છે. આ પહેલાં, 4 અને 5 એપ્રિલની રાત્રે, બીએસએફ સૈનિકોએ જમ્મુમાં નિયંત્રણ રેખા પાસે આરએસપુરા સેક્ટરમાં એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો. જ્યારે 1 એપ્રિલના રોજ, નિયંત્રણ રેખા પર સેનાના એન્કાઉન્ટરમાં 4-5 પાકિસ્તાની ઘૂસણખોરો માર્યા ગયા હતા. આ ઘટના પૂંછમાં નિયંત્રણ રેખા પર કૃષ્ણા ઘાટી સેક્ટરના આગળના વિસ્તારમાં બની હતી. શહીદ જેસીઓને સેનાએ શ્રદ્ધાંજલિ આપી
તેમને શ્રદ્ધાંજલિ આપતા વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વીટ કર્યું, “જીઓસી વ્હાઇટ નાઈટ કોર્પ્સ અને બધા સૈનિકો સૂબેદાર કુલદીપ ચંદના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે. આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા માટે એક ઓપરેશનનું નેતૃત્વ કરતી વખતે વીરગતિ પામ્યા.” કઠુઆમાં 20 દિવસમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે 4 એન્કાઉન્ટર
છેલ્લા 20 દિવસમાં કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ત્રણ એન્કાઉન્ટર થયાં છે. પહેલું એન્કાઉન્ટર 23 માર્ચે હીરાનગર સેક્ટરમાં થયું હતું. સુરક્ષાદળોને જૈશ-એ-મોહમ્મદના પ્રોક્સી સંગઠન પીપલ્સ એન્ટિ ફાશીવાદી ફ્રન્ટના પાંચ આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, પરંતુ તેઓ ભાગી જવામાં સફળ રહ્યા. બીજું એન્કાઉન્ટર 28 માર્ચે થયું હતું. જેમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના ચાર સૈનિકો, તારિક અહેમદ, જસવંત સિંહ, જગબીર સિંહ અને બલવિંદર સિંહ શહીદ થયા. આ ઉપરાંત ડીએસપી ધીરજ સિંહ સહિત ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. તેમની સારવાર ચાલુ છે. ત્રીજું એન્કાઉન્ટર 31 માર્ચની રાત્રે કઠુઆના પંચતીર્થી મંદિર પાસે થયું હતું. આ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. એક આતંકવાદી માર્યા ગયાના સમાચાર પણ હતા, પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સેનાના રાઇઝિંગ સ્ટાર કોર્પ્સના જણાવ્યા અનુસાર, 31 માર્ચની રાત્રે આ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓની જાણ કરવામાં આવી હતી, જેના પગલે સેનાએ રાજબાગના રુઇ, જુથાના, ઘાટી અને સાન્યાલના જંગલ વિસ્તારો તેમજ બિલ્લાવરના કેટલાક ભાગોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પંચતીર્થીમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર બાદ એન્કાઉન્ટર શરૂ થયું. જંગલમાં છુપાયેલા ત્રણ આતંકવાદીઓ ભાગી ન શકે તે માટે સુરક્ષાદળોએ આખી રાત આ વિસ્તારને ઘેરી લીધો હતો. કાશ્મીર પોલીસ, NSG, CRPF અને BSF સ્નિફર ડોગ્સ અને ડ્રોનની મદદથી આતંકવાદીઓને શોધી રહ્યા છે. સમાચાર અપડેટ થઈ રહ્યા છે….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments