back to top
Homeગુજરાતપાટણ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:અકસ્માતમાં મૃત્યુ પામેલા ગર્ભસ્થ શિશુ સહિત પરિવારને રૂ.30 લાખનું...

પાટણ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:અકસ્માતમાં મૃત્યુ પામેલા ગર્ભસ્થ શિશુ સહિત પરિવારને રૂ.30 લાખનું વળતર

પાટણની મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલ (એમએસીટી) કોર્ટે એક અભૂતપૂર્વ ચુકાદો આપ્યો છે. કોર્ટે એક અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારને કુલ રૂ.30,03,350નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામના લાલજીભાઈ ઉર્ફે લલિતભાઈ રાવળ તેમની પત્ની આશાબેન, પિતા શંભુભાઈ અને પુત્રી દેવાંશી સાથે ઓટોરિક્ષામાં અમદાવાદથી મહેસાણા જઈ રહ્યા હતા. નંદાસણ નજીક એક બસે રિક્ષાને ટક્કર મારતા આશાબેન અને શંભુભાઈનું મૃત્યુ થયું હતું. આશાબેન પાંચ મહિનાના ગર્ભવતી હતા. જજ બિપીનભાઈ કે. બારોટે બસના ચાલક, માલિક અને વીમા કંપની સામે કેસ ચલાવ્યો હતો. કોર્ટે કુલ છ પિટિશનોનો સંયુક્ત ચુકાદો આપ્યો છે. જેમાં સૌથી મોટી રકમ રૂ.18.69 લાખની છે. ગર્ભસ્થ શિશુના મૃત્યુ માટે રૂ.અઢી લાખનું વળતર ફાળવવામાં આવ્યું છે, જે કદાચ દેશમાં પ્રથમ કિસ્સો હોઈ શકે છે. એડવોકેટ રાજુભાઈ એમ. સોલંકી મારફતે દાખલ કરાયેલા કેસમાં અન્ય વળતર રકમમાં રૂ.પાંચ લાખ, રૂ.50,000, રૂ.1,39,000 અને રૂ.1,94,000નો સમાવેશ થાય છે. આ ચુકાદો ગર્ભસ્થ શિશુના અધિકારોની માન્યતા માટે મહત્વપૂર્ણ દાખલો બની રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments