back to top
Homeમનોરંજન'તમારાં બાળકો માટે સ્મશાન જ રહેવા દેવા છે?':મનોજ મુંતશિરે 2-52 મિનિટનો ભાવુક...

‘તમારાં બાળકો માટે સ્મશાન જ રહેવા દેવા છે?’:મનોજ મુંતશિરે 2-52 મિનિટનો ભાવુક વીડિયો શેર કર્યો, પહેલગામની એ કાળી સાંજને સાંભળી તમે સ્તબ્ધ થઈ જશો

જમ્મુ -કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલાની નિંદા કરતા, પ્રખ્યાત ગીતકાર અને લેખક મનોજ મુંતશિર શુક્લાએ પહેલા પણ ઘણું કહ્યું હતું અને હવે તેમણે વધુ એક ભાવનાત્મક વીડિયો શેર કર્યો છે. તેમણે પોતાના ઓફિશિયલ X હેન્ડલ પર વિડીયો પોસ્ટ કર્યો અને લખ્યું, “ભૂલશો નહીં! #BhoolnaMat #PahalgamTerroristAttack #Pahalgamaattack.’ આ પોસ્ટ 25 એપ્રિલ, 2025 ના રોજ બપોરે 1:37 વાગ્યે પોસ્ટ કરવામાં આવી હતી, ત્યારબાદ તે ઝડપથી વાયરલ થઈ ગઈ. મનોજ મુંતશિર કહે છે- ‘તમે ભૂલી જશો, જેમ દિલ્હી મુર્શિદાબાદમાં શું થયું તે ભૂલી ગયા , આ પહેલગામ પણ ભૂલી જશો.’ ગઈકાલે જે તડપ હતી તે આજે નથી. આજે જે છે તે કાલે નહીં હોય. નફરતના નકશા પર કાલે કોઈ બીજું શહેર લોહીથી લાલ કરી દેવામાં આવશે. કારણ કે તમારી યાદશક્તિ નબળી છે, તમે ભૂલી જાઓ છો. જો તમે તમારા બાળકોને વારસામાં સ્મશાન આપવા માગતા હો, તો આ વીડિઓ જોશો નહીં.’ ‘સેંથા માંથી સિંદૂર પણ ભુસાઈ ગયું’
તે ઉમેરે છે, ‘ઈશાનિયાના હાથમાંથી મહેંદી ઝાંખી પણ નહોતી પડી અને તેના સેંથા માંથી સિંદૂર પણ ભુસાઈ ગયું.’ તેના પતિનું નામ શુભમ હતું, જ્યારે તેનું શરીર ગોળીઓથી ચાળણી કરી દેવામાં આવ્યું ત્યારે તેણે વાદળી શર્ટ પહેર્યો હતો. તમે તેને ભૂલી જશો. પુણેનો સંતોષ પોતાની પત્ની સંગીતા સાથે તંબુમાં સંતાઈ ગયો. સંગીતાએ અલ્લાહ-હૂ-અકબર બોલીને કપાળ પરથી ચાંદલો લૂછી નાખ્યો, છતાં પણ સંતોષને તેની નજર સામે જ નિર્દયતાપૂર્વક મારી નાખવામા આવ્યો. મનોજ મુંતશિરે અપીલ કરી
તે આગળ કહે છે, ’12 વર્ષનો તનુજ પોતાના પિતાના શબને વળગી પડ્યો હતો.’ આ ખભા એટલા મજબૂત નહોતા થયા કે પિતાની અર્થી ઉપાડી શકે, આ ખભાને ભૂલશો નહીં. કર્ણાટકના મંજુનાથ પહેલી વાર વિમાનમાં બેઠા હતા. એ જ વિમાનમાંથી તેમના મૃતદેહને ઉતારવામાં આવ્યો . બેંગ્લોરના એન્જિનિયરને તેનો ધર્મ પૂછવામાં આવ્યો અને તેણે ગર્વથી કહ્યું કે તે હિંદુ છે તો ગોળીઓ ધરબી દેવામાં આવી, જો તમે તે ગોળી ભૂલી ગયા તો તે ગલગોટાના ફૂલ. આંબાના લાકડાને સાચવીને રાખજો. તમારા પ્રિયજનોની ચિતાઓ બનાવવા માટે તેની જરૂર પડશે. લોકોએ મનોજને ટેકો આપ્યો
તેમની પોસ્ટ પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી. એક યુઝરે લખ્યું – ‘તે નાના બાળકના માસૂમ મોઢેથી દહેશતનો ઘટનાક્રમ સાંભળીને મારું હૃદય ચિરાઈ જાય છે. ખબર નહી આ જાનવરોના હૃદય કયા પ્રકારના લોખંડના બનેલા હતા.’ જ્યારે, એક બીજા યુઝરે કહ્યું કે- ‘આ વખતે સરકારે આ હુમલાને ગંભીરતાથી લીધો છે અને હવે હિન્દુઓને જાગૃત કરવાનો સમય આવી ગયો છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments