જમ્મુ અને કાશ્મીરમાં 2019 પછી પરિસ્થિતિ ઝડપથી સુધરી રહી છે. રાજ્યનો વર્તમાન GDP સરેરાશ 8.5%ના દરે વધી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં 84 હજાર કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવો આવ્યા છે. જ્યારે 2024માં રાજ્યને પર્યટનથી 18 હજાર કરોડ રૂપિયાની આવક થઈ હતી. જમ્મુ અને કાશ્મીર લગભગ 35 વર્ષથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે. આના કારણે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉપરાંત, લાખો લોકોને સ્થળાંતર કરવાની મજબુરી પડી હતી. આના કારણે રાજ્યની ડેમોગ્રાફી બદલાઈ ગઈ. રાજ્યમાં થયેલી હિંસા અને અસ્થિરતાની વિકાસ પર સૌથી વધુ અસર પડી. 2019 માં કલમ 370 દૂર કર્યા પછી, રાજ્યમાં પરિસ્થિતિ સુધરી રહી હતી. પરંતુ પહેલગામ હુમલાને કારણે રાજ્યના વિકાસ પર લાંબા સમય સુધી અસર પડે તેવું લાગે છે. મોટાભાગના પ્રવાસીઓ પાછા ફરવા લાગ્યા છે. લગભગ 90% લોકોએ તેમના પ્રવાસ બુકિંગ રદ કર્યા છે. 2019 પહેલા આતંકવાદને કારણે ખેતી અને પર્યટનનો નાશ થયો હતો જમ્મુ અને કાશ્મીરનું અર્થતંત્ર પર્યટન, ફળોના વેપાર અને હેન્ડીક્રાફ્ટ પર આધારિત છે. 1995 પછીના 10 વર્ષમાં ડ્રાય ફ્રુટની નિકાસમાં 67.14%નો ઘટાડો થયો. 2007 પછી, હસ્તકલા ઉત્પાદનમાં 80%નો ઘટાડો થયો. એટલું જ નહીં, છેલ્લા સાડા ત્રણ દાયકાથી ચાલી રહેલા આતંકવાદ અને હિંસાએ લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ ભારે અસર કરી છે. હતાશા, ચિંતા, આઘાત, આત્મહત્યા અને ડ્રગ્સનું વ્યસન વધ્યું. આ સમાચાર પણ વાંચો… પહેલગામ હુમલા બાદ પ્રવાસીઓ ભાગવા લાગ્યા: 24 કલાકમાં 90% હોટલ રૂમ ખાલી, લોકોને નોકરી ગુમાવવાનો ડર, GDP પર પડશે અસર 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, લગભગ 90% લોકોએ તેમના પ્રવાસ બુકિંગ રદ કર્યા છે. પ્રવાસીઓ શક્ય તેટલી વહેલી તકે ઘાટીમાંથી બહાર નીકળવા માંગે છે, તેથી તેઓ ફ્લાઇટ પકડવા માટે શ્રીનગર પહોંચી રહ્યા છે. ત્યાંના લોકોમાં નોકરી ગુમાવવાનો ડર છે. અહીંનું અર્થતંત્ર પર્યટન પર ખૂબ નિર્ભર છે, તેથી તેને નુકસાન થઈ શકે છે. Topics: