back to top
Homeગુજરાતશહેરને મળશે ‘વનોદ્યાન ’ની ભેટ:રિલાયન્સના આર્થિક અનુદાનથી જામનગરમાં 8 એકર જમીનમાં 15,000...

શહેરને મળશે ‘વનોદ્યાન ’ની ભેટ:રિલાયન્સના આર્થિક અનુદાનથી જામનગરમાં 8 એકર જમીનમાં 15,000 વૃક્ષો વાવી હરિયાળી લહેરાવાશે

રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના આર્થિક અનુદાનથી જામનગર શહેરને આગામી દિવસોમાં એક કાયમી ભેટ સમું વનોદ્યાન ભેટ મળવા જઈ રહ્યું છે. ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજ નથવાણીની મંજૂરીથી સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે જામનગર શહેરના ગોલ્ડન સીટીની પાછળના ભાગમાં સોનલનગર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન માટે રિઝર્વ રાખવામાં આવેલ 8 (આઠ) એકર જમીનમાં 15,000 વૃક્ષો રોપીને ઉછેરવાની જવાબદારી હાર્ટફૂલનેસ ઈંસ્ટીટ્યુટ નામની સંસ્થા દ્વારા સ્વીકારવામાં આવી છે. રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિના અનુસંધાને આજે રિલાયન્સના પ્રતિનિધી, મહાનગરપાલિકાના નાયબ કમિશનર , આસી. કમિશનર , હાર્ટફૂલનેસ સંસ્થાના પ્રતિનિધી તથા સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી બાયોડાયવર્સીટી પ્લાન્ટના આ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ ખાતે મુખ્યમથક ધરાવતી હાર્ટફૂલનેસ ઈંસ્ટીટ્યુટના મુખ્ય વ્યવસ્થાપક પદ્મશ્રી કમલેશ પટેલ (દાજી) છે જેઓ દેશભરમાં ધ્યાન અને યોગના પ્રસાર ઉપરાંત ફળદ્રુપ ખેતી અને ફોરેસ્ટસ બાય હાર્ટફૂલનેસ પ્રોજેક્ટ દ્વારા વનીકરણ માટે કાર્યરત છે. જામનગર ખાતે વસવાટ વચ્ચે સ્થપાનાર આ વનમાં વાંસ , ખુબ મોટાં ઘટાદાર વૃક્ષો અને નાનાં વૃક્ષો એવી વ્યુહાત્મક રીતે રોપવામાં આવશે કે જેથી પક્ષીઓ સહિતના જીવ વૈવિધ્યને વસવાટ અને વિકાસ માટે પૂરતી તક મળી રહે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા આશરે 1.25 કીમીનો વોકીંગ ટ્રેક બનાવાશે. જેના પર ચાલનારને વનપરિભ્રમણ જેવી અનુભુતિ થશે. જામનગર મહાનગરપાલિકાએ આ કાર્યમાં ઉપયોગ માટે .આઠ એકર જમીનની મંજૂરી આપી છે અને હાર્ટફૂલનેસ ઈંસ્ટીટ્યુટ તેની આનુષાંગિક તમામ જવાબદારી વહન કરશે. રિલાયન્સ દ્વારા આ કાયમ માટે ઉપયોગી થનાર પ્રોજેક્ટ માટે મોટી રકમનું અનુદાન આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments