back to top
Homeમનોરંજનસલમાનની રેકી કરનાર 2 આરોપીના જામીન મંજૂર:કોર્ટે કહ્યું- હજુ સુધી કોઈ પુરાવા...

સલમાનની રેકી કરનાર 2 આરોપીના જામીન મંજૂર:કોર્ટે કહ્યું- હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી; પનવેલ ફાર્મહાઉસ પાસે એક્ટર પર હુમલાનું હતું પ્લાનિંગ

સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસની રેકી કરનાર બે આરોપીઓને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે. જસ્ટિસ એન.આર. બોરકરે આ કેસમાં ધરપકડ કરાયેલા વાસ્પી મહમૂદ ખાન ઉર્ફે વસીમ ચિકના અને ગૌરવ વિનોદ ભાટિયા ઉર્ફે સંદીપ બિશ્નોઈને જામીન આપતા કહ્યું કે, તેમની વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. કોર્ટની સુનાવણી દરમિયાન, એવું કહેવામાં આવ્યું હતું કે વસીમ ચિકના અને સંદીપ બિશ્નોઈ એ વોટ્સએપ ગ્રુપનો ભાગ હતા જ્યાં સલમાનની હત્યાના કાવતરાની ચર્ચા થઈ હતી, પરંતુ તે બંને એક્ટર પરના હુમલામાં સીધા સંડોવાયેલા હોય તેવું લાગતું નથી. શું છે આખો મામલો?
14 એપ્રિલ, 2024ના રોજ સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર થયો હતો. 24 એપ્રિલના રોજ, નવી મુંબઈ પોલીસે પનવેલમાં સલમાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહેલા લોરેન્સ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી હતી. આ આરોપીઓની ઓળખ ગૌરવ ભાટિયા, વાસ્પી ખાન ઉર્ફે વસીમ ચિકના, ધનંજય ઉર્ફે અજય કશ્યપ અને ઝીશાન ખાન ઉર્ફે જાવેદ ખાન તરીકે થઈ હતી. આ કેસના પાંચમા આરોપીની પોલીસે 3 જૂનના રોજ હરિયાણાથી ધરપકડ કરી હતી. આ કેસમાં કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ‘દોઢ મહિના પનવેલમાં રહીને ફાર્મહાઉસની રેકી કરી’
મુંબઈ પોલીસના જણાવ્યાં અનુસાર, બધા આરોપીઓ લગભગ દોઢ મહિનાથી પનવેલ સ્થિત સલમાન ખાનના ફાર્મહાઉસ પર નજર રાખી રહ્યા હતા. આ માટે તેણે પનવેલમાં જ ભાડે એક રૂમ લીધો હતો. તેઓ જાણતા હતા કે હિટ એન્ડ રન કેસ પછી, સલમાન પોતાની કારની ગતિ ઓછી રાખે છે. આવી સ્થિતિમાં, તેનો પ્લાન પનવેલ જતા રસ્તામાં સલમાન પર હુમલો કરવાનો હતો. 1 જૂન, 2024ના રોજ આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે, પનવેલ ઝોન 2ના ડીસીપી વિવેક પાનસરેએ કહ્યું હતું કે- અમને સલમાન ખાનની હત્યાના આયોજન વિશે કેટલીક માહિતી મળી છે. ઘણી બધી માહિતી એકઠી કર્યા પછી, અમે લોરેન્સ સંબંધિત સોશિયલ મીડિયા ગ્રુપમાં જોડાયા અને ગ્રુપમાં જોડાયા પછી, અમે ત્યાંથી માહિતી એકઠી કરતા રહ્યા. તેણે એક્ટરના ફાર્મહાઉસ અને ગોરેગાંવ ફિલ્મ સિટી સહિત અનેક શૂટિંગ સ્થળોની રેકી પણ કરી હતી. પોલીસે તેના મોબાઈલમાંથી અનેક રેકી વીડિયો પણ કબજે કર્યા છે. ઘણા ફોન અને સિમ કાર્ડ પણ મળી આવ્યા છે. ચારેય લોકોએ સલમાનના ઘર અને ફાર્મહાઉસની રેકી કરી હતી. આમાંથી અજય કશ્યપે પાકિસ્તાનમાં રહેતા ડોગરા નામના વ્યક્તિનો વીડિયો કોલ દ્વારા સંપર્ક કર્યો હતો. તે સલમાન પર હુમલો કરવા માટે ત્યાંથી AK-47 લેવા જઈ રહ્યો હતો. આરોપીઓ પાકિસ્તાનથી હથિયારો મંગાવવાના હતા
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ ગેંગસ્ટર આનંદપાલની પુત્રીના સંપર્કમાં પણ હતા. પોલીસે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે આ હત્યાને અંજામ આપવા માટે પાંચેય લોકોએ સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સનો ઉપયોગ કર્યો હશે. અજય કશ્યપ બધા આરોપીઓમાં સંકલનકારની ભૂમિકા ભજવી રહ્યો છે. અજય હથિયારોની દાણચોરીમાં પણ સામેલ હતો. પાકિસ્તાન સાથે સંબંધિત એંગલની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, પોલીસને એવી પણ માહિતી મળી હતી કે મુંબઈ, રાયગઢ, નવી મુંબઈ, થાણે, પુણે અને ગુજરાતથી આવતા લોરેન્સ અને સંપત નેહરા ગેંગના લગભગ 60 થી 70 ગુંડાઓ સલમાન ખાન પર નજર રાખી રહ્યા છે. 14 એપ્રિલ 2024ના રોજ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીબાર થયો હતો
ગયા વર્ષે 14 એપ્રિલે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબારના થોડા કલાકો પછી, લોરેન્સ ગેંગે હુમલાની જવાબદારી લીધી. ‘મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે’
પોલીસને આપેલા નિવેદનમાં સલમાને કહ્યું, વારંવાર જુદા જુદા લોકો દ્વારા નિશાન બનાવવામાં આવતા હું કંટાળી ગયો છું. અમને પહેલા પણ ઘણી વખત ધમકીઓ મળી છે અને દંડ પણ ભરવો પડ્યો છે. હું ઘણા કેસોમાં સંડોવાયેલો છું. હું હતાશ છું. મને કોર્ટ દ્વારા સજા થઈ ચૂકી છે. એક્ટરે જણાવ્યું હતું કે 14 એપ્રિલની સવારે ગોળીઓનો અવાજ સાંભળીને તે જાગી ગયો હતો. તેઓ બાલ્કનીમાં આવ્યો, પણ ત્યાં કોઈ નહોતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments