back to top
Homeગુજરાતસોલામાં 6 દિવસીય આધ્યાત્મિક શિબિરનું આયોજન:સન ટુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા 'પ્રવચનને બદલે...

સોલામાં 6 દિવસીય આધ્યાત્મિક શિબિરનું આયોજન:સન ટુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા ‘પ્રવચનને બદલે પ્રયોગાત્મક અભિગમ’ના સંદેશ પર 8 માર્ચથી યોગ, કસરત અને ધ્યાન શિબિર યોજાશે

સન ટુ હ્યુમન ફાઉન્ડેશનના નેજા હેઠળ અમદાવાદના સોલા વિસ્તારમાં ઇન્દોરના સંત પરમ આલયજીના માર્ગદર્શનમાં ‘પ્રવચનને બદલે પ્રયોગાત્મક અભિગમ’ પર આધારિત એક અનોખા આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરમાં સહભાગીઓને યોગ આસન, કસરત અને ધ્યાન સૂત્રો દ્વારા શરીર, મન અને ચેતના પર એક સાથે કામ કરવાની તક મળશે. આ પ્રયોગો દ્વારા વ્યક્તિની આંતરિક શક્તિઓ જાગૃત થાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. શિબિરમાં શીખવવામાં આવતી પદ્ધતિઓથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, અસ્થમા, સંધિવા, માઇગ્રેન, હૃદય રોગ, ડિપ્રેશન અને મેદસ્વિતા જેવી અનેક બીમારીઓમાં રાહત મળશે. છ દિવસનો આ શિબિર 8 માર્ચથી 13 માર્ચ સુધી સોલામાં સરદાર પટેલ ગાર્ડન પાસે આવેલા એએમસી પ્લોટમાં યોજાશે. શિબિર દરરોજ સવારે 6થી 8 વાગ્યા સુધી ચાલશે. આ અનોખી પહેલ દ્વારા લોકોને આધ્યાત્મિક માર્ગે સ્વાસ્થ્ય સુધારવાની તક મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments