back to top
Homeગુજરાતપેટા ચૂંટણીની રેલીમાં નાસભાગ:ડીજેના અવાજથી મધમાખીઓ છંછેડાઇ, અનેકને ડંખ માર્યા; ભાજપના 5...

પેટા ચૂંટણીની રેલીમાં નાસભાગ:ડીજેના અવાજથી મધમાખીઓ છંછેડાઇ, અનેકને ડંખ માર્યા; ભાજપના 5 કાર્યકર અને 15 પશુઓને ઇજા થઇ

ખાનપુરના ડોટાવટા ગામે પેટા ચુંટણીના ‎‎ઉમેદવારની ડી.જે સાથે રેલી નીકળી હતી. ‎‎ડી.જેના અવાઝથી ઝાડ પરના મધપુડાની ‎‎ભમરીઓ ઉડીને રેલીમાં જોડાયેલા 5 ‎‎કાર્યકરોને અને ગામના 15થી વધુ‎પશુઓને ડંખ મારીને ઇજાઓ કરી હતી. ‎‎ભમરીઓ ઉડતાં જ પ્રચારમાં ઉત્સાહભેર ‎‎જોડાયેલા કાર્યકરોમાં નાસભાગ મચી ગઇ ‎‎હતી. ઇજાગ્રસ્તોએ સરકારી હોસ્પીટલમાં ‎‎સારવાર માટે ખસેડાયા હતા. જયારે ‎‎પશુચીકીત્સકે પશુઓની સારવાર કરી‎હતી. મહિસાગર જિલ્લામાં ખાનપુર‎તાલુકાની કનોડ તાલુકા પંચાયતની બેઠક‎પર પેટા ચુંટણીમાં ઉમેદવારો પ્રચારમાં‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎એડી ચોટીનું જોર લગાવી દીધું‎હતું.પેટાચુંટણીના પ્રચારના છેલ્લા દિવસે‎મત વિસ્તારોમાં રેલીઓ કાઢવામાં આવી‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎હતી. ત્યારે ઉમેદવારે કનોડ તા.પ.ની પેટા‎ચુંટણીના છેલ્લા દિવસે ડી.જે સાથે રેલી‎કાઢવામાં આવી હતી. રેલી ખાનપુરના‎ડોડાવટા ગામે પહોચી હતી. રેલીમાં‎ડી.જેના મોટા અવાજથી ઝાડ પર‎મધપુડાની ભમરીઓ છંડેડાઇ હતી.‎ ભમરીઓ ઝાડ પરથી ઉડીને રેલીમાં ઘુસતા‎જ અફરાતફરી અને નાસભાગ મચી જવા‎પામી હતી. ઉડતી ભમરીઓ રેલીમાં‎જોડાયેલા 5 કાર્યકરોને ડંખ માર્યા હતા.‎જયારે ગામમાં બાંધેલા 15 જેટલા‎પશુઓને પણ ભમરીઓએ ડંખ માર્યો‎હતો. ભમરીના ડંખથી ઇજા પામેલા‎લોકોને સરકારી હોસ્પીટલમાં સારવાર‎માટે ખસેડાયા હતા. જયારે ગામના‎પશુઓને ભમરીઓ ડંખ મારતા જીલ્લા‎પ્રસાસન દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે જઇ‎ડેરીના ડૉકટર દ્વારા પશુને સારવાર‎કરવામાં આવી હતી.‎

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments