back to top
Homeમનોરંજનદારૂના કારણે રણધીર કપૂર બબીતાથી અલગ થયા હતા:એક્ટરે કહ્યું- મારી કારકિર્દીના પતન...

દારૂના કારણે રણધીર કપૂર બબીતાથી અલગ થયા હતા:એક્ટરે કહ્યું- મારી કારકિર્દીના પતન દરમિયાન હું વ્યસની થઈ ગયો, મારી પત્નીને લાગતું હતું કે હું ખરાબ માણસ છું

પીઢ અભિનેતા રણધીર કપૂરે તેમના અંગત જીવન વિશે એક કિસ્સો શેર કર્યો. તેમણે જણાવ્યું કે એક સમય હતો જ્યારે તેમની ફિલ્મી કારકિર્દી ડાઉન થઈ હતી જેના કારણે તેમને દારૂની લત લાગી ગઈ હતી અને તેઓ હંમેશા નશામાં રહેતા હતા. પત્ની બબીતા ​​સાથે પણ તેમનું વર્તન સારું નહોતું. જેના કારણે બંને અલગ રહેવા લાગ્યા પરંતુ તેમના ક્યારેય છૂટાછેડા થયા નહીં. દારૂના વ્યસનને કારણે રણધીર અને બબીતા ​​અલગ થઈ ગયા હતા રણધીર કપૂરે એક જૂના ઇન્ટરવ્યૂમાં બબીતા ​​સાથેના પોતાના અણબનાવ વિશે વાત કરતા કહ્યું હતું કે- ‘બબીતાને મારું ઘરે મોડું પાછું ફરવું બિલકુલ ગમતું નહોતું, તે સમયે હું દારૂનો વ્યસની હતો. જેના કારણે બબીતાને લાગ્યું કે હું ખરાબ માણસ છું. ભલે અમારા પ્રેમલગ્ન થયા હોય, પણ હું ક્યારેય તેવો બનવાનું ઈચ્છતો ન હતો જેવો તે ઇચ્છતી હતી.અને તે ક્યારેય મને એવી રીતે સ્વીકારવા માંગતી નહોતી જેવો હું હતો. રણધીર અને બબીતા ​​૧૯૮૮માં અલગ થઈ ગયા. બબીતા ​​તેની બંને દીકરીઓ સાથે રણધીરનું ઘર છોડીને ચાલી ગઈ. તેમણે પોતાની બંને દીકરીઓને એકલા હાથે ઉછેરી. જોકે, બંને હવે ઘણા સમયથી સાથે રહે છે. બંનેની પહેલી મુલાકાત 1969માં થઈ હતી રણધીર કપૂર અને બબીતાની પહેલી મુલાકાત 1969માં થઈ હતી. 1969માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સંગમ’માં બબીતાના પિતા હરિ શિવદાસાની સહાયક અભિનેતા હતા, અને રણધીરના પિતા રાજ કપૂર ફિલ્મના દિગ્દર્શક હતા. આ સમય દરમિયાન, બંને તેમના પિતા સાથે સેટ પર આવતા હતા. આ પછી, તેઓ બંને એકબીજાને ઓળખતા થયા અને એકબીજા સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું. 1971માં રણધીરે ફિલ્મ ‘કલ આજ ઔર કલ’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. તેમણે આ ફિલ્મમાં બબીતાને પણ કાસ્ટ કરી હતી. ફિલ્મ ‘કલ, આજ ઔર કલ’ માં કપૂર પરિવારની ત્રણ પેઢીઓ સાથે જોવા મળી હતી – રણધીર, પિતા રાજ અને દાદા પૃથ્વીરાજ કપૂર. પિતાએ પૂછ્યું હતું – શું તમે લગ્ન કરવાનો ઇરાદો ધરાવો છો કે નહીં? કપિલ શર્માના શોમાં રણધીર કપૂરે બબીતા ​​સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે અમે બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા. હું તો બસ સમય પસાર કરી રહ્યો હતો. મારા પિતા અમારા સંબંધ વિશે બધું જ જાણતા હતા, તેથી એક દિવસ તેમણે મને પૂછ્યું – ‘તું લગ્ન કરવાનો ઇરાદો ધરાવે છે કે નહીં?’ મેં જવાબ આપ્યો કે મારી પાસે હમણાં આવી કોઈ યોજના નથી, તેથી મારા પિતાએ ગુસ્સામાં મને પૂછ્યું, શું તમે તેની સાથે લગ્ન કરશો જ્યારે તે મોટી થશે? સાચું કહું તો, મેં બબીતાને લગ્ન માટે પ્રપોઝ કર્યું નહોતું, પણ મારા માતા-પિતાએ મારા વતી પ્રપોઝલ મોકલ્યું હતું.’ બંનેના લગ્ન 1971માં થયા હતા. રણધીર કપૂર અને બબીતાના લગ્ન 6 નવેમ્બર, 1971 ના રોજ પંજાબી રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નમાં દેવ આનંદ, ધર્મેન્દ્ર, અમિતાભ અને જયા બચ્ચન, રેખા અને રાજેન્દ્ર કુમાર જેવા ઘણા બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. રણધીર છેલ્લે 2014 માં અભિનય કરતા જોવા મળ્યા હતા રણધીર સાથે લગ્ન કર્યા પછી, બબીતાએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું. કારણ કે કપૂર પરિવારની વહુઓ ફિલ્મોમાં કામ કરતી નથી. બબીતાએ પોતાના ફિલ્મી કરિયરમાં ફક્ત 19 ફિલ્મોમાં કામ કર્યું. તેમણે 1966માં આવેલી ફિલ્મ ‘દસ લાખ’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી. દરમિયાન, રણધીર કપૂર છેલ્લે 2014 માં ફિલ્મ ‘સુપર નાની’માં જોવા મળ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments