1997માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પરદેસ’ સુપરહિટ રહી હતી, જેમાં શાહરુખ ખાને લીડ રોલ ભજવ્યો હતો. જોકે, શાહરુખ પહેલા આ ભૂમિકા ફેમસ એક્ટર રોનિત રોયને મળવાની હતી. એક જૂના ઇન્ટરવ્યૂમાં, રોનિતે કહ્યું હતું કે ફિલ્મમાં તેનું કાસ્ટિંગ લગભગ નક્કી હતું, પરંતુ જ્યારે ફિલ્મની જાહેરાત કરવામાં આવી ત્યારે બીજા કોઈને કાસ્ટ કરવામાં આવ્યો. રોનિત રોય સુભાષ ઘાઈને પોતાના પિતા સમાન માને છે. એક સમયે રોનિતના પિતા બ્રોતીન્દ્રનાથ રોય અને સુભાષ ઘાઈ ગાઢ મિત્રો હતા. જ્યારે રોનિત મુંબઈ આવ્યો ત્યારે તે લાંબા સમય સુધી સુભાષ ઘાઈના ઘરે રહ્યો. આવી સ્થિતિમાં, તેમણે સુભાષ ઘાઈ પાસેથી ઘણી બધી બાબતો શીખી. એક જૂના ઇન્ટરવ્યૂમાં, જ્યારે રાજીવ ખંડેલવાલે રોનિતને પૂછ્યું કે સુભાષ ઘાઈ તારા પિતા જેવા હતા, પણ તેમણે તને ક્યારેય લોન્ચ કેમ ન કર્યો. આના જવાબમાં રોનિતે કહ્યું, ‘પરદેસ’ નામની ફિલ્મ બની રહી છે. શાહરુખ સાહેબ તેમાં હતા. મુક્તા પ્રોડક્શન હાઉસની આખી ટીમ કહી રહી હતી કે તમને તેમાં કાસ્ટ કરવામાં આવ્યા છે. આ 99.9 ટકા ફાઈનલ હતું. જ્યારે અચાનક મેં ફિલ્મની જાહેરાત વાંચી, ત્યારે તેમાં કોઈ બીજાનું નામ હતું. જે આજે મારા નાના ભાઈ જેવો છે. રોનિત રોયે આગળ કહ્યું, મેં તેમને ક્યારેય પૂછ્યું નથી કે તેમણે મને કેમ ન લીધો. મેં ફક્ત એટલું પૂછ્યું તે કેમ? તેમણે જવાબ આપ્યો, મેં તેના પિતાને વચન આપ્યું હતું. હું મારું વચન પાળી રહ્યો છું. મેં તેને પહેલાં કે પછી કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. રોનિત રોયે 1992માં આવેલી ફિલ્મ ‘જાન તેરે નામ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, જે ખૂબ જ હિટ રહી હતી. તેણે ‘લક્ષ્ય’, ‘સૈનિક’, ‘રોક સ્ટાર’ જેવી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. જોકે, તેમને ખરી ઓળખ ટીવી ‘શો કસૌટી ઝિંદગી કી’માં શ્રી બજાજની ભૂમિકાથી મળી. રોનિતને 2011ની ફિલ્મ ‘ઉડાન’ માટે બેસ્ટ સ્પોર્ટિંગ રોલ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે.