back to top
Homeભારતમહાકુંભ - મધરાતથી જ સંગમ માર્ગ પર ફુલ ટ્રાફિક:અનેક જગ્યાએ જામ, ગઈકાલે...

મહાકુંભ – મધરાતથી જ સંગમ માર્ગ પર ફુલ ટ્રાફિક:અનેક જગ્યાએ જામ, ગઈકાલે એક લાખ વાહનો આવ્યા; 7 આઈજી ટ્રાફિક સંભાળી રહ્યા છે

આજે મહાકુંભનો 42મો દિવસ છે. મેળાને આડે હવે 3 દિવસ બાકી છે. છેલ્લા વીકેન્ડ પર ભક્તોની ભીડ વધી છે. મધરાતથી જ સંગમ તરફ જતા રસ્તાઓ ભક્તોથી ભરેલા છે. શનિવારે 1.30 કરોડ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. સરકારે કહ્યું- અત્યારે દુનિયામાં 120 કરોડ સનાતની છે. આમાંથી 50% લોકોએ સંગમમાં સ્નાન કર્યું છે. 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર આ સંખ્યા 65 કરોડને પાર કરશે. મેળા વિસ્તારના બહારના ભાગોમાં ભારે ટ્રાફિક જામ છે. પ્રયાગરાજના તમામ 7 એન્ટ્રી પોઈન્ટ પર બહારથી આવતા વાહનોને રોકવામાં આવી રહ્યા છે. DGP પ્રશાંત કુમારે કહ્યું- તમામ 7 એન્ટ્રી પોઈન્ટ પર ટ્રાફિકને સંભાળવા માટે એક-એક અધિકારી તહેનાત કરવામાં આવ્યા છે. શહેરની બહાર પાર્કિંગમાં કાર પાર્ક કરવી પડી. અહીંથી સંગમનું અંતર 10 થી 12 કિમી છે. એન્ટ્રી પોઈન્ટ પર રોકવામાં આવેલા ભક્તોને ઓછામાં ઓછા 10-12 કિમી સુધી ચાલવું પડશે. જોકે, શ્રદ્ધાળુઓની સુવિધા માટે શટલ બસો, ઈ-રિક્ષાઓ, ઓટો અને પેંડલ રીક્ષા ચાલી રહી છે. હજારો બાઈકર્સ પણ મુસાફરોને લઈ જઈ રહ્યા છે. પરંતુ, તે તમામ મનનરજી મુજબ ભાડું વસૂલી રહ્યા છે. સીએમ યોગી આજે પણ પ્રયાગરાજમાં જ રહેશે. બપોરે 1.45 કલાકે મહાકુંભ પહોંચશે. ગાડગે મહારાજની 149મી જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપશે. આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મહાકુંભમાં પહોંચશે. મહાકુંભના અપડેટ્સ વાંચવા માટે, નીચેના દરેક બ્લોગ પર જાઓ…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments