કોઈપણ દેશના વિકાસ માટે સ્થિર નીતિઓ અને સારું વ્યાપારિક વાતાવરણ મહત્વપૂર્ણ છે. અમે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં સુધારો કરતી વખતે 40,000થી વધુ અનુપાલન દૂર કર્યા છે. એક સરળ આવકવેરા પ્રણાલી પણ કરવામાં આવી છે. હવે અમે જન વિશ્વાસ બિલ 2.0 પર કામ કરી રહ્યા છીએ. ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ગ્રોથ એન્જીન ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે આજે વિશ્વનો દરેક દેશ ભારત સાથે તેની આર્થિક ભાગીદારીને મજબૂત કરવા માંગે છે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે એટલે કે મંગળવાર (4 માર્ચ) ના રોજ MSME પર પોસ્ટ બજેટ વેબિનારને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે આ વાત કરી. PM મોદીના સંબોધનની 7 મોટી વાતો… બજેટમાં કરવામાં આવેલી 4 મોટી વ્યવસાય સંબંધિત જાહેરાતો