પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ સામે સહારાની જમીનમાં હેતુ ફેર કરવા માટે ભલામણ કરવા ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો થયા હતા. આ અંગે રાજકોટની કોર્ટમાં ફરિયાદ થઈ કરવામાં આવી હતી, જેમાં આરોપીઓ અદાલતમાં અપીલ નોંધવા હાજર ન રહેતા કોર્ટે આરોપી બે ધારાસભ્યો સહિતના સામે વોરંટ કાઢવાનો હુકમ કર્યો હતો. જે પછી આજે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા રાજકોટ પહોંચ્યા હતા અને બદનક્ષી કેસમાં કોર્ટ સમક્ષ હાજર થયા હતા. રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી
નીતિન ભારદ્વાજએ વિધાનસભા વિરોધ પક્ષના કાર્યાલયના અંગત મદદનીશ તથા તત્કાલિન કોંગ્રેસ અગ્રણીઓ સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે. ચાવડા સામે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. જોકે આરોપીઓ અદાલતમાં હાજર ન રહેતા વોરંટ કાઢવાનો હુકમ થયો હતો. નીતિન ભારદ્વાજે જે ફરિયાદ કરી છે તે મુજબ, અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાંથી આરોપી તત્કાલિન વિરોધપક્ષના નેતા કોંગ્રેસના આગેવાન સુખરામ રાઠવા, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, તત્કાલિન વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક સી.જે. ચાવડા (હાલ ભાજપમાં) તેમજ વિરોધપક્ષના નેતાના અંગત મદદનીશ દ્વારા પ્રેસનોટ પ્રસારીત કરી સહારા કપંનીની જમીનમાં ઝોન ફેર કરીને 500 કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યા હોવાના આક્ષેપો ફરિયાદી નીતીન ભારદ્વાજ વિરૂધ્ધ કર્યા હતા. સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી
કોર્ટે નીતીન ભારદ્વાજ અને બે સાહેદોને તપાસેલ હતા તમામ કાર્યવાહીના અંતમાં કોર્ટે ફરિયાદ પરત કરેલ હતી. જે હુકમ વિરૂધ્ધ ફરિયાદી દ્વારા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જે રિવિઝન અરજી સેશન્સ કોર્ટે નીચેની કોર્ટનો હુકમ સેટે-સાઈડ કરી ફોજદારી ઈન્કવાયરી કાયદા મુજબ ચલાવવાનો યોગ્ય હુકમ કર્યો હતો. અમે બધા વાતચિત કરી સમાધાનનો વિચાર કરીશું
કોર્ટે તમામ આરોપીઓ વિરૂધ્ધ પ્રોસેસ ઇશ્યૂ કરી તેઓને કોર્ટમાં હાજર થવા હુકમ ફરમાવેલ હતો. પરંતુ ઘણી મુદ્દતો વીતી જતા હાલના આરોપીઓ કોર્ટમાં હાજર થયેલ ન હતા. ફરિયાદપક્ષના વકીલ અંશ ભારદ્વાજ દ્વારા તમામ આરોપીઓ વિરૂધ્ધ વોરંટ ઈશ્યૂ કરવાની અરજી આપતા કોર્ટે ફરિયાદપક્ષની અરજી મંજુર કરી તમામ આરોપીઓ સામે વોરંટ ઈશ્યૂ કરવાનો હુકમ કર્યો હતો. આજે કોંગ્રેસ અગ્રણી સુખરા રાઠવાએ જણાવ્યું કે, તેઓને કોર્ટનું સમન્સ મળ્યું છે. તા. 13ની મુદ્દત છે. પણ તે દિવસે તેમના કુટુંબના જ એક વ્યક્તિ જે નિધન પામ્યા હોય તેની કારજ વિધિ હોવાથી તેઓ આજે જ કોર્ટમાં સમક્ષ હાજર થયા હતા. તેઓએ વધુમાં જણાવ્યું કે વિજયભાઈ રૂપાણીએ જે કેસ કર્યો હતો તેમાં વિજયભાઈને વિનંતી કરતા સમાધાન થયું. ત્યારે અમને એમ હતું કે આ કેસ પણ પૂર્ણ થયો છે જેથી કોર્ટ મુદ્દતે આવ્યા નહોતા. હવે સામાવાળા અને અમે બધા એક સાથે વાતચિત કરી સમાધાનનો વિચાર કરીશું.