back to top
Homeમનોરંજન'સૂર્યવંશમ' ફેમ સૌંદર્યાની હત્યા અકસ્માતમાં ખપાવી!:એક્ટર મોહનબાબુ વિરુદ્ધ મર્ડરનો કેસ દાખલ, 22...

‘સૂર્યવંશમ’ ફેમ સૌંદર્યાની હત્યા અકસ્માતમાં ખપાવી!:એક્ટર મોહનબાબુ વિરુદ્ધ મર્ડરનો કેસ દાખલ, 22 વર્ષ પહેલા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો

‘સૂર્યવંશમ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે જોવા મળેલી સૌંદર્યાનું 22 વર્ષ પહેલાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. હવે વર્ષો પછી, આ કેસમાં સાઉથ એક્ટર મોહન બાબુ વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચિત્તિલ્લુ નામના વ્યક્તિએ એક્ટર મોહન બાબુ પર સૌંદર્યાની હત્યાનો આરોપ લગાવ્યો છે. એવો આરોપ છે કે મોહન બાબુએ મિલકતના વિવાદને કારણે સૌંદર્યાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તે લાંબા સમયથી સૌંદર્યા અને તેના ભાઈ પર જમીન વેચવા માટે દબાણ કરી રહ્યો હતો, પરંતુ જ્યારે તે ન થયું, ત્યારે તેણે તેમની હત્યા કરાવી દીધી. ફરિયાદમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે સૌંદર્યાના મૃત્યુ પછી, એક્ટર મોહન બાબુએ તેમની જમીન પર ગેરકાયદે રીતે કબજો કર્યો હતો. ફરિયાદીએ મોહન બાબુ અને તેમના પરિવાર પાસેથી પોતાના માટે સુરક્ષાની માંગણી કરી છે, અને કહ્યું છે કે તેઓ સૌંદર્યાની 6 એકર જમીન પર કબજો કરવા માંગે છે. તે કહે છે કે મોહન બાબુ તેને પણ નુકસાન પહોંચાડી શકે છે. ફ્લાઇટ ક્રેશ થતા સૌંદર્યા સહિત 4ના મોત
2004માં, સૌંદર્યાએ રાજકારણમાં એન્ટ્રી કરી અને ભારતીય જનતા પાર્ટી અને તેલુગુ દેશમ પાર્ટીમાં જોડાયા. 17 એપ્રિલ 2004ના રોજ, સૌંદર્યા તેના ભાઈ અમરનાથ સાથે, કરીમનગરમાં યોજાનારી રાજકીય રેલી માટે 4-સીટર પ્રાઈવેટ જેટ, કાસ્ના 180માં બેંગ્લોરથી કરીમનગર જવા રવાના થઈ. ફ્લાઇટે બેંગલુરુના જક્કુર એરફિલ્ડથી સવારે 11:05 વાગ્યે ઉડાન ભરી હતી પરંતુ 100 ફૂટ ચઢ્યા પછી તેમાં આગ લાગી ગઈ હતી. આખું વિમાન બળી ગયું. આ ફ્લાઇટ બેંગલુરુમાં ગાંધી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કેમ્પસમાં ક્રેશ થઈ ગઈ હતી. કેમ્પસમાં પ્રયોગો કરી રહેલા કેટલાક લોકોએ આ અકસ્માત જોયો અને લોકોને મદદ કરવા દોડી ગયા, પરંતુ વિમાન સંપૂર્ણપણે બળી ગયું હતું અને તેમાં રહેલા દરેક મુસાફર બળી ગયા હતા. 4 સીટર વિમાનમાં સૌંદર્યા ઉપરાંત તેનો ભાઈ અમરનાથ, હિન્દુ જાગરણ સમિતિના સચિવ રમેશ કદમ અને પાયલોટ જોય ફિલિપ હાજર હતા. સૌંદર્યા માતા બનવાની હતી, એક દિવસ પહેલા જ ડિરેક્ટરને ખુશખબર આપી હતી
સૌંદર્યાના મૃત્યુ પછી, તમિલ ડિરેક્ટર આર.વી. ઉદયકુમારે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે સૌંદર્યા તેના મૃત્યુ સમયે ગર્ભવતી હતી. સૌંદર્યાએ તેના મૃત્યુના એક દિવસ પહેલા ડિરેક્ટરને ફોન કર્યો હતો. લગભગ 1 કલાક ચાલેલી વાતચીતમાં એક્ટ્રેસે કહ્યું કે હવે તે માતા બનવાની હોવાથી તે હવે કોઈ ફિલ્મોમાં કામ કરશે નહીં. થોડા સમય પહેલા જ સૌંદર્યાએ ફિલ્મ ચંદ્રમુખીના કન્નડ ભાષાના રિમેકનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું અને તે ઇચ્છતી હતી કે આ તેની છેલ્લી ફિલ્મ હોય. કમનસીબે આવું જ બન્યું. મૃત્યુ પછી પણ એવોર્ડ્સનો સિલસિલો ન અટક્યો સૌંદર્યાને 19995ની ફિલ્મ ‘અમોરુ’ માટે બેસ્ટ એક્ટ્રેસ તેલુગુનો પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આ પછી તેણીને 9 અન્ય બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડ જીત્યા. તેમના મૃત્યુ પછી પણ, સૌંદર્યાને ફિલ્મ “અપથમિત્રા” માટે એવોર્ડ મળ્યો. મૃત્યુના એક વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું વસિયતનામા, વિવાદ 11 વર્ષ સુધી ચાલ્યો
સૌંદર્યાએ 27 એપ્રિલ 2003 ના રોજ સોફ્ટવેર એન્જિનિયર જી.એસ. સાથે લગ્ન કર્યા. રઘુ સાથે લગ્ન કર્યા હતા. રઘુ અને સૌંદર્યા બાળપણથી મિત્ર હતા. 15 ફેબ્રુઆરી, 2003ના રોજ, લગ્નના બે મહિના પહેલા, સૌંદર્યાએ પોતાનું વસિયતનામું તૈયાર કર્યું જેમાં તેણે બેંગલુરુ અને હૈદરાબાદમાં આવેલી પોતાની ઘણી મિલકતો પરિવારના જુદા જુદા સભ્યોને આપવાનું નક્કી કર્યું. આ વસિયતમાં તેમણે પોતાના ઘરેણાં, ફિક્સ્ડ ડિપોઝિટ, રોકડ રકમ અને બાકીની બધી વસ્તુઓ પોતાના પરિવારના સભ્યોના નામે લખી હતી. સૌંદર્યાના પરિવારમાં તેની માતા મંજુલા, ભાઈ અમરનાથ, ભાભી નિર્મલા અને ભત્રીજો સાત્વિકનો સમાવેશ થતો હતો. સૌંદર્યા સાથે, તેના ભાઈ અમરનાથનું પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. 2009માં, બંનેના મૃત્યુના પાંચ વર્ષ પછી, નિર્મલા અને તેના પુત્ર સાત્વિકે મંજુલા અને રઘુ વિરુદ્ધ મિલકત માટે કેસ દાખલ કર્યો. બંને પક્ષો વચ્ચેનો વિવાદ વર્ષો સુધી ચાલ્યો. સૌંદર્યાના મૃત્યુના 11 વર્ષ પછી, તેના પરિવારે સમાધાન કર્યું હતું. સૌંદર્યા એકમાત્ર સાઉથ એક્ટ્રેસ હતી જે તે યુગના દરેક સુપરસ્ટાર સાથે જોવા મળી હતી. ‘સૂર્યવંશમ’માં અમિતાભ બચ્ચન સાથે કામ કરવા ઉપરાંત, સૌંદર્યાએ રજનીકાંત, કમલ હાસન, મામૂટી, મોહનલાલ, વિષ્ણુવર્ધન સાથે પણ ફિલ્મો કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments