back to top
Homeમનોરંજન'હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે':હેમા માલિની વિરુદ્ધ ફરિયાદ દાખલ, જગન્નાથ મંદિરની મુલાકાતને...

‘હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે’:હેમા માલિની વિરુદ્ધ ફરિયાદ દાખલ, જગન્નાથ મંદિરની મુલાકાતને લઈને હોબાળો

સોમવારે એક્ટ્રેસ અને રાજકારણી હેમા માલિની વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તાજેતરમાં એક્ટ્રેસ પુરી જગન્નાથ મંદિરમાં દર્શન ગઈ હતી. મંદિરનો વીડિયો સામે આવ્યા બાદ વિવાદ શરૂ થયો હતો. એવો આરોપ છે કે એક્ટ્રેસ મંદિરમાં પ્રવેશ ગેરકાયદે છે. પુરીના સ્થાનિક સંગઠન શ્રી જગન્નાથ સેનાએ હેમા માલિની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સિંહદ્વાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપ છે કે હેમા માલિનીએ ધાર્મિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. સંગઠને આરોપ લગાવ્યો છે કે હેમા માલિનીના પતિ ધર્મેન્દ્રએ તેમની સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો અને તેમના લગ્ન પણ મુસ્લિમ રીતરિવાજો અનુસાર થયા હતા, તેથી મંદિરમાં તેમના પ્રવેશથી હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચી છે. ફરિયાદીએ જણાવ્યું છે કે હેમા માલિની અને ધર્મેન્દ્રના લગ્ન 21 ઓગસ્ટ 1979ના રોજ મુંબઈના મૌલાના કાઝી અબ્દુલ્લા ફૈઝાબાદી દ્વારા કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રના પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે થયાં હતાં, જેમનાથી તેમને 4 બાળકો છે. 1955ના હિન્દુ કાયદા અધિનિયમ હેઠળ, કોઈ પણ હિન્દુને બે વાર લગ્ન કરવાની પરવાનગી નથી, તેથી ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો. ધર્મેન્દ્રએ પોતાનું નામ બદલીને દિલાવર ખાન કેવલ કૃષ્ણા રાખ્યું અને હેમા માલિનીએ પોતાનું નામ બદલીને આયશા બીવી આર. ચક્રવર્તી રાખ્યું. આ લગ્નથી આ દંપતિને બે પુત્રીઓ છે, ઈશા અને આહના. હેમા માલિની રામદેવ બાબા સાથે મહાકુંભમાં પહોંચી હતી
મૌની અમાવાસ્યાના શુભ પ્રસંગે, હેમા માલિની મહાકુંભમાં પહોંચી અને અમૃત સ્નાન કર્યું. તે યોગ ગુરુ બાબા રામદેવ અને જુના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી મહારાજ સાથે પહોંચી અને સ્નાન કર્યું હતું. પહેલી પત્નીએ છૂટાછેડા ન આપ્યાં હોવાથી ધર્મેન્દ્રએ ઇસ્લામ અપનાવ્યો
ફિલ્મોમાં આવતા પહેલા, ધર્મેન્દ્રએ માત્ર 19 વર્ષની ઉંમરે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતાં. આ દંપતિને ચાર બાળકો હતાં – અજય (સની દેઓલ), વિજય (બોબી દેઓલ), વિજેતા અને અજયતા. ફિલ્મોમાં આવ્યા પછી, ધર્મેન્દ્ર 1965માં ખ્વાજા અબ્બાસની ફિલ્મ આસમાન મહલના પ્રીમિયરમાં જોવા મળ્યા હતા. આ પછી, બંનેને ઘણી ફિલ્મોમાં સાથે કામ કરવાની તક મળી. લાંબી મિત્રતા પછી, બંને ફિલ્મ ‘શોલે’ના સેટ પર નજીક આવ્યાં. ધર્મેન્દ્ર પોતાની પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે છૂટાછેડા લઈને હેમા માલિની સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ તેમની પત્નીએ છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો. આવી સ્થિતિમાં ધર્મેન્દ્રએ ઇસ્લામિક રીતરિવાજો અનુસાર હેમાને પોતાની બીજી પત્ની બનાવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments