આપણા દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી જી ના સ્વચ્છતા ના અભિયાન ના પૂરક થવાના ભાગ થી ગાંધીનગરના ઝુંડાલ વિસ્તારમાં આવેલી આશરે ૧૦ સોસાયટીયો માં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સ્થાનિક કોર્પોરેટર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન શ્રી જસવંતભાઈ પટેલે ” સ્વચ્છતા ગ્રાન્ટ ફોર કોર્પોરેટર” ના બજટ માંથી સોસાયટીના રહેવાસીઓને ૨૪૦ લીટરની સેલો મેક કચરાપેટીનું વિતરણ કર્યું. અમે આ યોજના ના ભાગ રૂપે અસરે ૧૫૦ જેટલી સોસાયટીઓ માં ૨૪૦ લિટર ના ડિસ્ટબિન ના વિતરણ થઈ ચૂક્યા છે .. આ પ્રસંગે શ્રી પટેલે સ્થાનિક રહેવાસીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું. તેમણે કચરાપેટીનો યોગ્ય ઉપયોગ કરવા અને સોસાયટીની સ્વચ્છતા જાળવવા માટે માર્ગદર્શન આપ્યું અને જાળવ્યું હતું કી આગામી સમય માં વોર્ડ ના ૧૧ ના બધા સોસાયટીઓ માં આ પ્રકાર ના ડસ્ટબિન વિતરણ કરવાના લક્ષ્ય છે .. કાર્યક્રમમાં સમાજસેવી શ્રી દિલીપભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સોસાયટીયો ના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં રહેવાસીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો. આ પહેલથી સોસાયટીયો માં સ્વચ્છતા જાળવણીને નવો વેગ મળશે.