back to top
Homeમનોરંજન'જેલમાં 3500 ક્રિમિનલ વચ્ચે આર્યન ખાનને રખાયો હતો':બિગ બોસ ફેમ એજાઝ ખાનનો...

‘જેલમાં 3500 ક્રિમિનલ વચ્ચે આર્યન ખાનને રખાયો હતો’:બિગ બોસ ફેમ એજાઝ ખાનનો સ્ફોટક દાવો; કહ્યું- રાજ કુંદ્રા અને શાહરુખના દીકરાને હું બિસ્કિટ, પાણી અને સિગારેટ મોકલતો

બિગ બોસ ફેમ એજાઝ ખાને એક ઇન્ટરવ્યૂમાં જેલવાસનો પોતાનો અનુભવ શેર કર્યો છે. આ સમય દરમિયાન, તેણે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા વિશે પણ કેટલાક દાવા કર્યા છે. તેણે જણાવ્યું કે કેવી રીતે તેણે રાજ કુન્દ્રા અને આર્યન ખાન જેલમાં હતા ત્યારે તેને મદદ કરી અને માફિયાઓથી બચાવ્યા. ‘રાજ કુન્દ્રા મારી પાસે પાણી માગતો હતો’ હિન્દી રશ સાથે વાત કરતા, એજાઝે રાજ કુન્દ્રાને મદદ કરવા વિશે વાત કરી. તેનો દાવો છે કે, ‘જ્યારે રાજ કુન્દ્રા જેલમાં આવ્યો ત્યારે હું સાત મહિનાથી જેલમાં હતો. રાજ કુંદ્રા મને દરરોજ મેસેજ મોકલતો હતો. ભલે તે બહાર મોટું નામ હતું, પણ જેલમાં મારું નામ પ્રખ્યાત હતું. તેને કડક દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યો હતો.’ જેલ સુપરિન્ટેન્ડેન્ટે તેને પાણી પણ આપવાની ના પાડી દીધી હતી. તે મારી પાસે પાણી, બ્રેડ અને બિસ્કિટ માંગતા હતા.બિસ્કિટ હોય, બિસ્લેરીની બોટલ હોય કે સિગારેટ, જેલમાં આ વસ્તુઓ પૂરી પાડવી એ મોટી વાત છે. ત્યાં, અમને બિસ્લેરી પાણી નહીં, પણ સામાન્ય પાણી પીવાની મંજૂરી આપવામાં આવી હતી. પણ તેઓ તે પીતા નહીં કારણ કે તેઓ બીમાર પડી જતા. તેણે મને મદદ ન કરી પણ મેં તેને ઘણી મદદ કરી.’ એજાઝે ઇન્ટરવ્યૂમાં રાજ પ્રત્યે નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે ‘તે પોતાના બધા ઉપકાર ભૂલી ગયો છે. તેની ફિલ્મ ‘(UT69) ફ્લોપ’ ગઈ કારણ કે તેમણે જુઠ્ઠાણું બતાવ્યું. તેણે પોતાની વાર્તા કહી, પણ તેણે એ ન કહ્યું કે તેને જેલમાં ત્રાસ આપવામાં આવ્યો હતો. તે જેલમાં તેને આટલી મદદ કરનાર વ્યક્તિ પાસે પણ ગયો નહીં.’ તેણે કહ્યું, ‘તેણે મારી સાથે વિતાવેલા બે મહિના એવા હતા જે તેણે તેની પત્ની શિલ્પા શેટ્ટી સાથે પણ શેર નહી કર્યા હોય. કોરોનાનો સમય હતો, ખૂબ દુઃખ હતું. તે હંમેશા રડતો રહેતો. હું જેલમાં તેને બચાવવા માટે લોકોની વિરુદ્ધ ગયો.’ આર્યન ખાનને એક સામાન્ય બેરેકમાં રાખવામાં આવ્યો હતો તેવી જ રીતે, એજાઝ ખાને આર્યન ખાનને મદદ કરવાનો કિસ્સો શેર કરતા કહ્યું કે, ‘તે જેલમાં લગભગ 3500 ગુનેગારો હતા અને સ્ટાર કિડ ચોક્કસપણે ભીડમાં સુરક્ષિત ન હતો.’ તેણે જણાવ્યું કે તેણે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને પણ મદદ કરી છે. તેણે આર્યન માટે પાણી અને સિગારેટ મોકલ્યા હતા. એજાઝ આગળ કહે છે કે, ‘જેલમાં કોઈ માટે તમે આટલું જ કરી શકો છો. અને હા, મેં તેમને ગુંડાઓ અને માફિયાઓથી પણ બચાવ્યા. તે જોખમમાં હતો, તેને એક સામાન્ય બેરેકમાં રાખવામાં આવ્યો હતો.’ એ જ ઇન્ટરવ્યૂમાં, એજાઝે કહ્યું કે તેની સામે ડ્રગ્સનો કેસ ખોટો હતો. તેને જાણી જોઈને ફસાવવામાં આવ્યો હતો. કેટલાક લોકો તેનો અવાજ દબાવવા માગતા હતા. નોંધનીય છે કે, વર્ષ 2021 માં, એજાઝની ડ્રગ્સના કેસમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. એજાઝને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો. તે જ સમયે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સના કથિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી જ્યારે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને અશ્લીલ સામગ્રી બનાવવા બદલ ત્યાં રાખવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments