back to top
Homeગુજરાતઆરોગ્યકર્મીઓની હડતાળ નવમા દિવસે પણ ચાલુ:યુનિયનના મહામંત્રીને નોકરીમાંથી છૂટા કરવાનો આદેશ, 457...

આરોગ્યકર્મીઓની હડતાળ નવમા દિવસે પણ ચાલુ:યુનિયનના મહામંત્રીને નોકરીમાંથી છૂટા કરવાનો આદેશ, 457 કર્મચારીઓને 24 કલાકનું અલ્ટિમેટમ

આરોગ્ય વિભાગના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યા છે. ત્યારે આરોગ્યકર્મીઓની હડતાળ વચ્ચે સરકારે યૂનિયનના મહામંત્રી આશિષ બારોટને છૂટા કરવાનો આદેશ આપ્યો છે. જો કે, આજે સતત નવમા દિવસે પણ સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મીઓએ આંદોલન યથાવત રાખ્યુ છે.
કર્મચારીઓએ હડતાળ કરતાં આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી
બીજી તરફ સાબરકાંઠમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હડતાળ કરતાં તેમને નોટિસ ફટકારવામાં આવી છે. આરોગ્ય વિભાગે 20 માર્ચથી 700થી વધુ કર્મચારીઓને કામગીરી પર આવવા માટે નોટિસ આપીને કાર્યવાહી શરૂ કરી છે. નોટિસના કારણે 117 કર્મચારીઓ પરત ફર્યા હતા, જ્યારે 7 કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યાં છે. 457 કર્મચારીઓ કે હજુ જે હડતાળ પર છે તેમને 24 કલાકમાં ખુલાસો કરવાનું અલ્ટિમેટમ અપાયું છે. હજુ સુધી સરકારે કોઈ હકારાત્મક જવાબ આપ્યો નથી
રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો નવમો દિવસ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાની માગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. તો પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા નવ દિવસથી હડતાળ ઉપર ઉતરેલા ગાંધીનગર જિલ્લાના 284 આરોગ્ય કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. જ્યારે સીસીસીની પરીક્ષા નિયત સમયમાં પાસ નહી કરેલા અને હડતાલમાં જોડાયેલા 8 કર્મચારીઓને ફરજમાંથી છૂટા કરાયા છે. હડતાળ ઉપરના 276 કર્મચારીઓને ચાર્જશીટ આપવામાં આવી છે. સરકાર દ્વારા ‘એસ્મા’ એક્ટ લાગુ કરાયો
આરોગ્ય કર્મચારીઓની હડતાળના લીધે આરોગ્યની સેવાઓ ખોરવાઈ શકે છે, જે જોખમને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ‘એસ્મા’ (ધ એસેન્શિયલ સર્વિસીઝ મેઇન્ટેનન્સ એક્ટ) લાગુ કરાય છે. આ અંગે ગુરુવારે આરોગ્ય મંત્રીએ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મચારીઓની આ હડતાળ એકદમ ગેરવાજબી છે. જો કર્મચારીઓ વહેલી તકે હડતાળ નહીં સમેટે તો હવે સરકાર કડક પગલાં લેશે. આરોગ્ય કર્મચારીઓની માગણીઓ
મુખ્ય માગણીઓમાં MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર), FHW (ફિમેલ હેલ્થ વર્કર), MPHS (મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર), FHS (ફિમેલ હેલ્થ સુપરવાઈઝર), TMPH (તાલુકા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર), THV (તાલુકા સુપરવાઇઝર) અને જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઈઝર કેડરનો ટેક્નિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ-પે સુધારણા સામેલ છે. ઉપરાંત MPHW-FHW કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માગ પણ કરવામાં આવી છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતાં કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આરોગ્યકર્મીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર
આરોગ્યકર્મીઓ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પણ કોઇ નિકાલ ન આવતાં સરકારને 1લી માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. એ બાદ 5મી માર્ચે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું. 7મી માર્ચથી ઓનલાઈન-ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો. એ બાદ કર્મચારીઓ 17 માર્ચથી અચોકસ મુદતની હડતાળ પર ઊતર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments