back to top
Homeગુજરાતકુમકુમ મંદિરમાં પાપમોચિની એકાદશીની ભવ્ય ઉજવણી:એકાદશી વ્રતથી બ્રાહ્મણો-સંતોને જમાડ્યા બરાબર પુણ્ય મળે...

કુમકુમ મંદિરમાં પાપમોચિની એકાદશીની ભવ્ય ઉજવણી:એકાદશી વ્રતથી બ્રાહ્મણો-સંતોને જમાડ્યા બરાબર પુણ્ય મળે છે: સાધુ પ્રેમવત્સલદાસજી

મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ફાગણ વદ એકાદશીના પવિત્ર દિવસે પાપમોચિની એકાદશીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન વચનામૃત અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવ્યું. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ પાપમોચિની એકાદશીનું મહત્વ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે ફાગણ વદ એકાદશી કરવાથી માણસના તમામ પાપનો નાશ થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી અને વચનામૃત ગ્રંથમાં દરેક એકાદશી કરવાની આજ્ઞા આપી છે. એકાદશીના દિવસે ઉપવાસ કરવો જોઈએ. જો ઉપવાસ ન થઈ શકે તો ફલાહાર કરી શકાય છે. પરંતુ અનાજનું સેવન વર્જિત છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું કે એકાદશી વ્રત કરવાથી અનેક બ્રાહ્મણો અને સંતોને ભોજન કરાવ્યા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. આમ, એકાદશી વ્રતનો અપાર મહિમા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments