back to top
Homeગુજરાતગુજરાતના 2 પોલીસકર્મી અને 1 ડ્રાઇવરનું હરિયાણામાં અકસ્માતમાં મોત:હોમગાર્ડ-ખાનગી ડ્રાઈવરનો મૃતદેહ અમદાવાદ...

ગુજરાતના 2 પોલીસકર્મી અને 1 ડ્રાઇવરનું હરિયાણામાં અકસ્માતમાં મોત:હોમગાર્ડ-ખાનગી ડ્રાઈવરનો મૃતદેહ અમદાવાદ અને પોલીસ કોન્સ્ટેબલનો મૃતદેહ તાપી લવાશે, ગાર્ડ ઓફ હોનર સાથે અંતિમ સંસ્કાર કરાશે

26 માર્ચ બુધવારના રોજ હરિયાણામાં ગુજરાત પોલીસની બોલેરો ગાડી (GJ 18 JB 7819) એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ગુજરાત પોલીસના 2 કર્મચારી અને 1 ડ્રાઈવરનું મોત થયું હતું. આ ત્રણેય મૃતકોમાંથી એક હોમગાર્ડ જવાન રવીન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડના મૃતદેહને અમદાવાદમાં લાવવામાં આવી રહ્યો છે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિતના મૃતદેહને તેના વતન તાપી લઈ જવામાં આવી રહ્યો છે. આજે ગાર્ડ ઓફ હોનર સાથે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શું છે સમગ્ર મામલો
રામોલ પોલીસ સ્ટેશનના PSI સોલંકી અને 3 જવાનો પોક્સો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા. ત્યારે 26 માર્ચે બુધવારના સવારે 5.30 વાગ્યે હરિયાણાના સિરસા જિલ્લામાં ભારતમાલા રોડ પર અજાણ્યા વાહન સાથે તેઓની બોલેરો ગાડી અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ગાડી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. જોકે, આ અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત, હોમગાર્ડ રવીન્દ્ર અને ખાનગી ડ્રાઇવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે, જ્યારે PSI જે.પી. સોલંકી ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાસ્થળથી એક પંજાબની નંબરપ્લેટ મળી
અકસ્માતની ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી એક પંજાબની નંબર પ્લેટ મળી આવી હતી. જેના આધારે પોલીસ અજાણ્યા વાહનને શોધવા તપાસ હાથ ધરી હતી. પોલીસ ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. કોન્સ્ટેબલની સોમવારે ટ્રાફિકમાં બદલી થઈ ને બુધવારે મોત મળ્યું
પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત 8 વર્ષથી રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. થોડા દિવસ અગાઉ તેમની રામોલથી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી. જ્યારે સોમવારે તેમની ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી. પરંતુ છૂટા કરવામાં આવ્યા નહોતા. જો કે, 26 માર્ચ, 2025ના વહેલી સવારે અકસ્માતમાં તેમનું મોત થયું હતું. તેમનું પ્રથમ પોસ્ટિંગ 2017માં રામોલ પોલીસ સ્ટેશનમાં ફાળવવામાં આવ્યું હતું. તે અમરાઈવાડી પોલીસ લાઈનમાં તેમના બહેન સાથે રહેતા હતા. તેમના બહેન પણ સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરતા હતા. જ્યારે માતા-પિતા તેમના વતન તાપી ખાતે રહે છે. સુનિલ ગામિત અપરણિત હતા. અકસ્માતમાં ખાનગી ડ્રાઈવરનું પણ મોત
આ અકસ્માતમાં ઘનશ્યામ ભરવાડ નામના ખાનગી ડ્રાઇવરનું પણ મોત થયું હતું. ઘનશ્યામ ભરવાડ સીટીએમ ભરવાડવાસ ખાતે તેમની પત્ની, નાના બાળકો અને તેમના માતા-પિતા સાથે રહેતા હતા. તેમને પોલીસ દ્વારા અવારનવાર આ પ્રકારે બહારગામ ગાડી ચલાવવા લઈ જવામાં આવતા હતા. હોમગાર્ડના પરિવારમાં પત્ની, બાળકો અને માતા
અકસ્માતમાં હોમગાર્ડ જવાન રવીન્દ્ર ક્ષત્રિયનું પણ મોત થયું હતું. તેઓ પણ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં પત્ની, બાળકો અને માતા છે. તેઓ સિંગરવા ગામના સોમનાથ પાર્કમાં રહે છે. તેમના પડોશીના ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી તેમના પરિવારને અન્ય સ્વજનોના ઘરે લઈ જવામાં આવ્યા હતા. અક્સ્માત સ્થળની તસવીર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments