back to top
Homeમનોરંજનવિજયનું નામ સાંભળતાં જ તમન્નાએ મોં મચકોડ્યું:બ્રેકઅપ પર ફિલસૂફી સમજાવી; કહ્યું- તંત્રમંત્રથી...

વિજયનું નામ સાંભળતાં જ તમન્નાએ મોં મચકોડ્યું:બ્રેકઅપ પર ફિલસૂફી સમજાવી; કહ્યું- તંત્રમંત્રથી પાપારાઝીને વશમાં કરી લઈશ

તમન્ના ભાટિયા અને વિજય વર્મા વચ્ચેનો સંબંધ હવે ભૂતકાળની વાત છે. બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી ન હતી, પરંતુ હવે જ્યારે તેઓ અલગ થઈ ગયા છે, ત્યારે તમન્નાએ પહેલી વાર પોતાના બ્રેકઅપ દરમિયાન પસાર થયેલા મુશ્કેલ સમય વિશે વાત કરી છે. તમન્ના ભાટિયાએ માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. મંગળવારે (8 એપ્રિલે), તમન્નાએ મુંબઈમાં તેની આગામી તેલુગુ ફિલ્મ ‘ઓડેલા 2’ ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી . ત્યાં, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે મુશ્કેલ સમયનો સામનો કેવી રીતે કરે છે, ત્યારે તેણે એવો જવાબ આપ્યો કે લોકોને લાગ્યું કે તે તેના અને વિજય વર્માના બ્રેકઅપ વિશે વાત કરી રહી છે.પ્રમોશન દરમિયાન વિજયનું નામ લીધા વિના તેને પૂછવામાં આવેલ એક રમૂજી પ્રશ્ન પણ ચર્ચામાં આવ્યો. ખરેખર, એક પત્રકારે તમન્નાને પૂછ્યું હતું કે જો તેની પાસે તંત્ર-મંત્રની શક્તિ હોય, તો તે કઈ પર્સનાલિટી પર વિજય મેળવવા માંગશે? આ સાંભળીને તમન્નાએ મોં મચકોડ્યું અને પછી ખૂબ જ સ્માર્ટ રીતે પ્રશ્ન પાપારાઝી તરફ ફેરવ્યો, પરંતુ અહીં તેના દેશી દેખાવે બધાને મંત્રમુગ્ધ કરી દીધા અને લાઈમલાઈટ ખેંચી ગઈ હતી. જેના ચાહકો તેમના વખાણ કરતા થાકતા નથી. તમન્નાએ કહ્યું, ‘ જ્યારે પણ જીવનમાં કોઈ સમસ્યા આવે છે અથવા આપણે કોઈ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈએ છીએ, ત્યારે આપણે બહારથી સહારો શોધતા હોઈએ છીએ.’ પણ મેં જે શીખ્યું છે તે એ છે કે આપણને જે જોઈએ છે તે આપણી અંદર જ છે. બહાર શોધવાની જરૂર નથી. જો આપણે ખરેખર અંદર નજર કરીએ , તો આપણને દરેક પ્રશ્નનો જવાબ મળશે.’ કાર્યક્રમ દરમિયાન, તેને એક રમૂજી પ્રશ્ન પૂછવામાં આવ્યો – ‘ શું કોઈ એવું વ્યક્તિત્વ છે જેને તમે તંત્ર-મંત્ર દ્વારા વશ કરવા માંગો છો ?’ આ સાંભળીને તમન્ના હસવા લાગી અને કહ્યું, ‘ આ તો તમારે જ કરવું પડશે, પછી બધા પાપારાઝી મારી મુઠ્ઠીમાં હશે. તમે શું કહો છો ? કરી લઈએ? માથા પર જ તંત્રમંત્ર કરી લઈએ? પછી બધા પાપારાઝી મારી દરેક વાત ધ્યાનથી સાંભળશે.’ તમન્ના-વિજયના બ્રેકઅપ પાછળનું કારણ શું છે? તમન્ના અને વિજય વર્માના બ્રેકઅપના સમાચાર થોડા અઠવાડિયા પહેલા આવ્યા હતા. એવું કહેવામાં આવતું હતું કે ‘ લસ્ટ સ્ટોરીઝ 2 ‘ માં સાથે કામ કરતી વખતે તેમના સંબંધો શરૂ થયા હતા, પરંતુ હવે બંને અલગ થઈ ગયા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બંને એકબીજાનો આદર કરે છે અને મિત્રો રહેવા માગે છે. તે જ સમયે, કેટલાક સમાચારોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમન્ના પર લગ્ન માટે દબાણ હતું , જેના કારણે સંબંધ આગળ વધી શક્યો નહીં. તમન્ના ભાટિયાના ચાહકો લાંબા સમયથી તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઓડેલા 2’ મોટા પડદા પર આવવાની રાહ જોઈ રહ્યા હતા, જે ઇન્તેજારી ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં તમન્નાના પાત્રે ફિલ્મ પ્રત્યે ચાહકોની ઉત્તેજના વધુ વધારી દીધી છે. આ ફિલ્મમાં તમન્ના ખૂબ જ મજબૂત પાત્રમાં જોવા મળશે. આ એક સુપરનેચરલ થ્રિલર ફિલ્મ છે, જે 17 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments