ગુજરાત ATSએ તાજેતરમાં જ રાજ્યભરમાંથી અનેક લોકોને અન્ય રાજ્યમાંથી હથિયાર ખરીદવાના પ્રકરણમાં ધરપકડ કરી છે. આ પકડાયેલા આરોપીઓમાં લોકોમાં સીનસપાટા મારવા અન્ય રાજ્યમાંથી લાઇસન્સ અને હથિયારનું સેટિંગ પાડતા હોવાનું પણ ATSની તપાસમાં ખુલ્યું છે, ત્યારે આ ઝડપાયેલા આરોપીઓમાંથી એક આરોપીનું નામ વિશાલ પંડ્યા છે જેની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. વિશાલ પંડ્યા VHPનો કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પહેલાં પાલડીના વણીકર ભવનના નવીનીકરણનું ખાતમુહૂર્ત હતું. તે દરમિયાન વિશાલ પંડ્યા દ્વારા 4 કરોડના દાનની જાહેરાત કરવામાં આવી હતી. આ મામલે VHPએ કહ્યું હતું કે, જે દાનની જાહેરાત કરી હતી તેમાંથી હજી સુધી કોઇ રૂપિયો આવ્યો નથી. પરંતુ 11 ડિસેમ્બર 2024ના વણીકર ભવનના ભૂમિપૂજન કાર્યક્રમના વીડિયોમાં 4 કરોડના દાનની જાહેરાત સાથે એક કરોડ જમા પણ કરાવી દીધા હોવાનું જણાવ્યું હતું. હથિયાર કૌભાંડમાં ઝડપાયેલો વિશાલ પંડ્યા VHPનો કાર્યકર
ગુજરાત ATSએ સુરેન્દ્રનગર, અમદાવાદ અને સુરતમાંથી ગેરકાયદેસર હથિયાર અને લાઇસન્સ પ્રકરણમાં મોટું કૌભાંડ ઝડપી પાડ્યું. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 20થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં પણ હવે આ આરોપીઓના પોલિટિકલ સંબંધ હોવાનું સામે આવી રહ્યું છે. હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદમાં થોડા સમય પહેલાં પાલડીના વણીકર ભવનના નવીનીકરણનું ખાતમુહૂર્ત હતું. તે સમયે મોટા ગજાના નેતાઓ પણ ત્યાં હાજર હતા અને અલગ અલગ દાતાઓના નામની જાહેરાત થઈ હતી. ત્યારે એક નામ તેમાં વિશાલ પંડ્યાનું હતું. આ વિશાલ પંડ્યા VHPનો કાર્યકર છે અને હાલ તે હથિયારોના કૌભાંડમાં ATSની પકડમાં છે. વિશાલ પંડ્યાએ 4 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી
વિશાલ પંડ્યા થોડા સમય પહેલાં જ VHPમાં જોડાયો હોવાનું VHPના કાર્યકરો જ કહી રહ્યા છે. ત્યારે આરોપીના નામે મુહૂર્ત સમયે ભવનના નવીનીકરણ માટે 4 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરતા તેનું નામ દાતાઓના લિસ્ટમાં લેવાયું હતું અને લોકોએ તાળીઓ પાડીને તેને વધાવ્યું પણ હતું. તે સમયે બધા એના બેગ્રાઉન્ડથી અજાણ હોય તેવું કહી શકાય. વિશાલ પંડ્યાની ધરપકડથી તેના પરિચિત લોકો ફફડી ઉઠ્યા
ગુજારત ATSએ અન્ય રાજ્યના લાઇસન્સ ખરીદીને હથિયારો ખરીદવાના પ્રકરણમાં જ્યારે વિશાલ પંડ્યાની ધરપકડ કરી ત્યારે તેના પરિચિત લોકો ફફડી ઉઠ્યા હતા અને હવે તેનાથી છેડો ફાડવા માટે આમતેમ ફરી રહ્યા છે. જે દાનની જાહેરાત કરી હતી તેમાંથી કોઇ રૂપિયો આવ્યો નથી
આ સમગ્ર પ્રકરણ અંગે વિશ્વ હિન્દુ પરિષદના અશોક રાવલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, થોડા મહિના પહેલાં તે VHPમાં જોડાયો હતો. તે VHPનો કાર્યકર છે. તે સમયે જે દાનની જાહેરાત કરી હતી તેમાંથી હજી સુધી કોઇ રૂપિયો આવ્યો નથી. ‘એક કરોડ તો જમા પણ કરાવી દીધા’
તો બીજી તરફ 11 ડિસેમ્બર 2024ના વણીકર ભવનના ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન દાતાઓના નામની જાહેરાત કરાઈ રહી હતી તે દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, જેનું નામ વિશાલ છે એવું વિશાળ દાન આવ્યું છે. વિશાલભાઈ પંડ્યા અને ભાવિનભાઈ મહેતા આ નવા ભવનના નિર્માણમાં 4 કરોડનું દાન જાહેર કરે છે. એક કરોડ તો જમા પણ કરાવી દીધા. હથિયારોનું બોગસ લાઇસન્સ મેળવનારા 16 અરેસ્ટ
ગુજરાતમાં નાગાલેન્ડના બોગસ હથિયાર લાઇસન્સ મેળવવાના મામલે ATSએ વધુ 16 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 15 હથિયાર સાથે 489 કારતૂસ કબજે કરવામાં આવ્યાં છે. આ પ્રકરણમાં આરોપીઓનો આંકડો વધી શકે છે એવું ATS પાસેથી જાણવા મળી રહ્યું છે. ગુજરાત ATSએ પકડેલા આરોપીઓ હથિયારના શોખીન છે, જેમણે 50 હજારથી 10 લાખ સુધીના રૂપિયા ચૂકવી બોગસ હથિયાર લાઇસન્સ મેળવ્યા હતા. સમગ્ર અહેવાલ વાંચો…