back to top
Homeમનોરંજનકંગનાએ કહ્યું,'નેહરૂ ડૉ.આંબેડકરની ઈર્ષ્યા કરતા હતા':એક્ટ્રેસે નિવેદન આપ્યું,'કોંગ્રેસે તેમનું અપમાન કર્યું, ભાજપે...

કંગનાએ કહ્યું,’નેહરૂ ડૉ.આંબેડકરની ઈર્ષ્યા કરતા હતા’:એક્ટ્રેસે નિવેદન આપ્યું,’કોંગ્રેસે તેમનું અપમાન કર્યું, ભાજપે બાબા સાહેબનું ખરું સન્માન કર્યું’

હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રનૌતે સોમવારે કહ્યું કે,’પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ઈર્ષ્યા કરતા હતા.’ આંબેડકર જયંતિ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં કંગનાએ આ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, ‘જો કોઈએ ખરેખર બાબા સાહેબનું સન્માન કર્યું હોય, તો તે ભારતીય જનતા પાર્ટી છે. કોંગ્રેસે તેમનું અપમાન કર્યું છે.’ ‘કોંગ્રેસ ખોટા વચનો આપે છે, કામ પણ કાળા કરે છે’ કંગનાએ કહ્યું કે, ‘કોંગ્રેસ ખોટા વચનો આપે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. તેના કામો કાળા છે. હવે તેમણે એક નવી પદ્ધતિ અપનાવી છે. આ લોકો દેખાડા માટે બંધારણનો ઉપયોગ કરે છે. તેઓ બાબા સાહેબ આંબેડકરનું નામ ઉછાળે છે અને તેમના નામનો ઉપયોગ માત્ર વોટબેંકની રાજનીતિ માટે કરે છે.’ ‘નેહરૂ ડૉ. આંબેડકરની ઈર્ષ્યા કરતા હતા’- કંગના કંગના અહીં જ ન અટકી, તેણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પર પણ આરોપ લગાવ્યા. તેણે કહ્યું કે, ‘બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું હતું અને પછી તેમને મંત્રીમંડળમાંથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી, કારણ કે નેહરૂ આંબેડકરની સમજણ અને બુદ્ધિમત્તાની ઈર્ષ્યા કરતા હતા.’ ‘ભાજપે ખરું માન આપ્યું’- કંગના ભાજપની પ્રશંસા કરતા કંગનાએ કહ્યું કે, ‘ભાજપે બાબા સાહેબ આંબેડકરને ખરો આદર આપ્યો. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાબા સાહેબ આંબેડકરને માત્ર ભારત રત્ન જ નહીં, પરંતુ તેમના જીવન સાથે જોડાયેલા પાંચ ખાસ સ્થળોને પવિત્ર ગણીને, તેમને ભગવાન જેવો આદર પણ આપ્યો.’ નોંધનીય છે કે, કંગના રનૌત હંમેશા પોતાની સ્પષ્ટવક્તા શૈલીને કારણે ચર્ચામાં રહે છે. તે કોઈપણ મુદ્દા પર બોલવામાં અચકાતી નથી. આ જ કારણ છે કે તે દરરોજ વિવાદોમાં ફસાઈ જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments