એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી. આમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સામ પિત્રોડા અને સુમન દુબેના નામનો સમાવેશ થાય છે. આ કેસમાં, 12 એપ્રિલના રોજ તપાસ દરમિયાન ટાંચમાં લેવાયેલી મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. EDએ 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતોનો કબજો લેવા માટે નોટિસ જારી કરી હતી. 661 કરોડ રૂપિયાની આ સ્થાવર મિલકતો ઉપરાંત, નવેમ્બર 2023માં ED દ્વારા AJLના 90.2 કરોડ રૂપિયાના શેર જપ્ત કરવામાં આવ્યા હતા જેથી ગુનાની રકમ સુરક્ષિત કરી શકાય અને આરોપીઓને તેને વેચી ન શકાય. શુક્રવારે, દિલ્હીમાં હેરાલ્ડ હાઉસ (5A, બહાદુર શાહ ઝફર માર્ગ), મુંબઈમાં બાંદ્રા (પૂર્વ) અને લખનઉમાં બિશેશ્વર નાથ રોડ પર AJL ઇમારતો પર નોટિસ ચોંટાડવામાં આવી હતી. EDએ મુંબઈના બાંદ્રામાં હેરાલ્ડ હાઉસના 7મા, 8મા અને 9મા માળે સ્થિત જિંદાલ સાઉથ વેસ્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડને માસિક ભાડા/લીઝની રકમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટરના પક્ષમાં ટ્રાન્સફર કરવા માટે નોટિસ પણ જારી કરી હતી. વાડ્રાને EDનું તેડું બીજી બાજું કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને પણ EDએ તેની ઓફિસ બોલાવ્યા હતા. જ્યાં તેમની ગુરુગ્રામના શિકોપુર જમીન કૌભાંડમાં પૂછપરછ કરવામાં આવી હતી. જમીન સોદા સંબંધિત મની લોન્ડરિંગ તપાસમાં પૂછપરછ માટે EDએ તેમને બીજું સમન્સ મોકલ્યું હતું. વાડ્રા અગાઉ 8 એપ્રિલે મોકલવામાં આવેલા પહેલા સમન્સમાં હાજર થયા ન હતા. સંપૂર્ણ સમાચાર વાંચો… સોનિયા અને રાહુલની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી જૂન 2022માં, નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની 5 દિવસમાં 50 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ 21 જુલાઈ, 2022ના રોજ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની 3 દિવસમાં 12 કલાક પૂછપરછ કરવામાં આવી. આ સમયગાળા દરમિયાન તેમને 100થી વધુ સવાલો પૂછવામાં આવ્યા હતા. જૂન મહિનામાં પાંચ દિવસમાં ED દ્વારા રાહુલ ગાંધીની પણ 50 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. શું છે નેશનલ હેરાલ્ડ કેસ?
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડીઝ, સામ પિત્રોડા અને સુમન દુબે પર છેતરપિંડી અને નાણાકીય ઉચાપત દ્વારા ખોટમાં ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ અખબારને હડપ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આરોપ મુજબ, કોંગ્રેસના નેતાઓએ નેશનલ હેરાલ્ડની મિલકતો પર કબજો કરવા માટે યંગ ઈન્ડિયન લિમિટેડ ઓર્ગેનાઈઝેશનની રચના કરી અને તેના દ્વારા ગેરકાયદેસર રીતે એસોસિએટેડ જર્નલ લિમિટેડ (AJL) હસ્તગત કરી, જે નેશનલ હેરાલ્ડ પ્રકાશિત કરે છે. સ્વામીએ આરોપ લગાવ્યો કે દિલ્હીના બહાદુર શાહ ઝફર માર્ગ પર સ્થિત 2000 કરોડ રૂપિયાના હેરાલ્ડ હાઉસ બિલ્ડિંગ પર કબજો કરવા માટે આ કરવામાં આવ્યું હતું. સ્વામીએ 2,000 કરોડ રૂપિયાની કંપની માત્ર 50 લાખ રૂપિયામાં ખરીદવા બદલ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને આ કેસમાં સામેલ અન્ય વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ સામે ફોજદારી કાર્યવાહીની માગ કરી હતી. જૂન 2014માં કોર્ટે સોનિયા, રાહુલ અને અન્ય આરોપીઓ સામે સમન્સ જારી કર્યા. ઓગસ્ટ 2014માં EDએ આ મામલે કાર્યવાહી કરી અને મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. ડિસેમ્બર 2015માં દિલ્હીની પટિયાલા કોર્ટે સોનિયા અને રાહુલ સહિત તમામ આરોપીઓને જામીન આપ્યા. ED ચાર્જશીટમાં, સોનિયા ગાંધી આરોપી નંબર એક અને રાહુલ આરોપી નંબર બે ED તપાસને લગતા આ સમાચાર પણ વાંચો… ગુરુગ્રામ જમીન કૌભાંડ, રોબર્ટ વાડ્રા ચાલતા ED ઓફિસ પહોંચ્યા:તપાસ એજન્સીએ બીજું સમન્સ મોકલ્યું હતું, વાડ્રાએ કહ્યું- જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા આજે, મંગળવારે ચાલતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસ પહોંચ્યા. જ્યાં તેમની ગુરુગ્રામના શિકોપુર જમીન કૌભાંડમાં પૂછપરછ કરવામાં આવી હતી. જમીન સોદા સંબંધિત મની લોન્ડરિંગ તપાસમાં પૂછપરછ માટે EDએ તેમને બીજું સમન્સ મોકલ્યું હતું. વાડ્રા અગાઉ 8 એપ્રિલે મોકલવામાં આવેલા પહેલા સમન્સમાં હાજર થયા ન હતા.