back to top
Homeભારતબિહારના મુઝફ્ફરપુરમાં ઝૂંપડપટ્ટીમાં આગ, 5નાં મોત:મૃતકોમાં 4 બાળકો, 15 બાળકો હજુ પણ...

બિહારના મુઝફ્ફરપુરમાં ઝૂંપડપટ્ટીમાં આગ, 5નાં મોત:મૃતકોમાં 4 બાળકો, 15 બાળકો હજુ પણ ગુમ; ડઝનબંધ ઘરો બળીને રાખ થઈ ગયા

બુધવારે બિહારના મુઝફ્ફરપુરમાં દલિત વસાહતમાં 50થી વધુ ઘરમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં ચાર બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. આ ઘટના બરિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રામપુર મણિ પંચાયતમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોલક પાસવાનના ઘરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને થોડી જ વારમાં તે આખા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. મુઝફ્ફરપુર ડીએમ સુબ્રત કુમાર સેને જણાવ્યું હતું ગામના ગોલક પાસવાનના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી ગઈ. લોકો કંઈ સમજી શકે ત્યાં સુધીમાં તો ભારે પવનને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ. આગ ખૂબ જ તીવ્ર હતી. જેના કારણે બાળકો ડરી ગયા. બહાર નીકળી શક્યા નહીં અને આગમાં ફસાઈ ગયા. ડીએમએ વધુમાં જણાવ્યું કે ‘આગમાં 4 બાળકો અને એક વ્યક્તિનું મોત થયું છે. એસડીએમને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. મૃતકોના પરિવારને વળતર આપવામાં આવશે અને લોકો માટે 2 દિવસ માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અકસ્માતના 3 ફોટા… 8 થી 12 વર્ષની વયના બાળકો સ્થાનિક લોકોએ જણાવ્યું કે રાજુ પાસવાન નામના વ્યક્તિના ત્રણ બાળકો બળીને ખાખ થઈ ગયા હતા. આ બાળકોની ઉંમર 12 વર્ષ, આઠ વર્ષ અને નવ વર્ષ છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ડઝનબંધ ઘરો બળીને રાખ થઈ ગયા. પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SKMCH મોકલી રહી છે. ફાયર બ્રિગેડ અને પોલીસ સમયસર ન પહોંચી ગ્રામજન રાકેશે જણાવ્યું કે જ્યારે આગ લાગી ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ કોઈ ઘટનાસ્થળે પહોંચ્યું ન હતું. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં આગ લગભગ કાબુમાં આવી ગઈ હતી. આગમાં ચાર બાળકો એક સાથે મૃત્યુ પામ્યા. જો કે, 15 બાળકો હજુ પણ ગુમ છે. આ બાળકોની શોધખોળ ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments