back to top
Homeભારતવક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો બીજો દિવસ:હિન્દુ સભ્ય, કલેક્ટરનો પાવર અને...

વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો બીજો દિવસ:હિન્દુ સભ્ય, કલેક્ટરનો પાવર અને વક્ફ બાય યુઝર, ​​આજે 3 મોટા સવાલોના જવાબ મળશે

ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદા પર બીજા દિવસે સુનાવણી થશે. આ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 100થી વધુ અરજીઓ કરવામાં આવી છે. 16 એપ્રિલના રોજ બે કલાક લાંબી સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. તેમજ, કાયદાને રોકવાનો ઇનકાર કર્યો હતો. CJI સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. વક્ફ બોર્ડ અને સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમોના સમાવેશની જોગવાઈ પર બેન્ચે નારાજગી વ્યક્ત કરી. બેન્ચે કેન્દ્રને પૂછ્યું કે શું મુસ્લિમોને હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં સામેલ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલી હિંસા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે કેન્દ્ર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ (એસજી) તુષાર મહેતાએ કહ્યું- એવું ન લાગવું જોઈએ કે દબાણ લાવવા માટે હિંસા કરી શકાય છે. કોર્ટે કહ્યું કે અમે આ અંગે નિર્ણય લઈશું. સુપ્રીમ કોર્ટે 3 જોગવાઈઓ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો, કેન્દ્રએ વિરોધ કર્યો… 1. કોર્ટ દ્વારા વકફ જાહેર કરાયેલી મિલકતને ડી-નોટિફાઇડ કરવામાં આવશે નહીં. તે વકફ બાય યુઝર અથવાવકફ બાય ડીડ હોઈ શકે છે. 2. જો કલેક્ટર વકફ મિલકતનું સર્વે કરે છે, તો તેની પ્રકૃતિ બદલી શકશે નહીં. કોર્ટને જાણ કરશે. 3. વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલના બધા સભ્યો મુસ્લિમ હોવા જોઈએ, સિવાય કે પદાધિકારી સભ્યો. સુનાવણીની 3 મોટી વાતો… 1. વક્ફ બોર્ડ બનાવવાની પ્રક્રિયા: કપિલ સિબ્બલે કહ્યું- અમે એ જોગવાઈને પડકારીએ છીએ, જે કહે છે કે ફક્ત મુસ્લિમો જ વક્ફ બનાવી શકે છે. સરકાર કેવી રીતે કહી શકે કે ફક્ત તે લોકો જ વક્ફ બનાવી શકે છે. જેઓ છેલ્લાં 5 વર્ષથી ઇસ્લામને માની રહ્યા છે? વધુમાં, રાજ્ય કેવી રીતે નક્કી કરી શકે કે હું મુસ્લિમ છું કે નહીં અને વક્ફ બનાવવા માટે લાયક છું? 2. જૂની વક્ફ મિલકતોના રજિસ્ટ્રેશન અંગે: સિબ્બલે કહ્યું, આ એટલું સરળ નથી. વક્ફની રચના સેંકડો વર્ષ પહેલાં થઈ હતી. હવે તેઓ 300 વર્ષ જૂની મિલકતનો વક્ફ દસ્તાવેજ માગશે. ત્યાં સમસ્યા છે. આ અંગે SGએ કહ્યું- વકફની રજિસ્ટ્રેશન 1995ના કાયદામાં પણ હતું. સિબ્બલ સાહેબ કહી રહ્યા છે કે મુતવલ્લીને જેલમાં જવું પડશે. જો વકફ રજીસ્ટર નહીં થાય તો તે જેલમાં જશે. આ 1995થી છે. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘વક્ફ રજીસ્ટ્રેશન અંગ્રેજો પહેલાં થતું નહોતું.’ ઘણી મસ્જિદો 13મી અને 14મી સદીની છે. તેમની પાસે રજીસ્ટ્રેશન કે વેચાણ દસ્તાવેજ હશે નહીં. આવી સંપત્તિઓને કેવી રીતે રજીસ્ટ્રેશન કરશે. તેમની પાસે કયા દસ્તાવેજો હશે? વકફ બાય યુઝર માન્ય કરવામાં આવ્યો છે, જો તમે તેને નાબૂદ કરશો તો સમસ્યા થશે. 3. બોર્ડના સભ્યોમાં બિનમુસ્લિમો: સિબ્બલે કહ્યું, ‘ફક્ત મુસ્લિમો જ બોર્ડનો ભાગ બની શકે છે.’ હવે હિન્દુઓ પણ એનો ભાગ બનશે. આ અધિકારોનું ઉલ્લંઘન છે. કલમ 26 કહે છે કે નાગરિકો ધાર્મિક અને સામાજિક સેવા માટે સંસ્થાની સ્થાપના કરી શકે છે. આ મુદ્દે CJI અને SG વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. કોર્ટે પૂછ્યું કે શું સરકાર હિન્દુ ધાર્મિક બોર્ડમાં મુસ્લિમોનો સમાવેશ કરશે? SGએ જણાવ્યું હતું કે, પદાધિકારી સભ્યો સિવાય, વક્ફ કાઉન્સિલમાં બે થી વધુ બિન-મુસ્લિમ સભ્યો રહેશે નહીં. આના પર બેન્ચે કહ્યું, ‘નવા કાયદામાં, વક્ફ કાઉન્સિલના 22 સભ્યોમાંથી, આઠ મુસ્લિમ હશે.’ તેમાં બે એવા જજ હોઈ શકે છે જે મુસ્લિમ નથી. આવી સ્થિતિમાં બહુમતી બિન-મુસ્લિમો હશે. આ સંસ્થાના ધાર્મિક ચરિત્રને કેવી રીતે બચાવશે? SG એ કહ્યું- બેન્ચ પણ સંપૂર્ણપણે હિન્દુ છે, CJIએ કહ્યું- અહીં ધર્મ મહત્વનો નથી સુનાવણી દરમિયાન તણાવ ત્યારે વધી ગયો જ્યારે મહેતાએ બેન્ચના ત્રણ જજના ધર્મ (હિન્દુ)નો ઉલ્લેખ કરીને નિષ્પક્ષતાનો સવાલ ઉઠાવ્યો. આના પર CJI એ કહ્યું, ‘જ્યારે આપણે અહીં બેસીએ છીએ, ત્યારે આપણી વ્યક્તિગત ઓળખનો કોઈ અર્થ નથી.’ કાયદા સમક્ષ બધા પક્ષો સમાન છે. આ સરખામણી સંપૂર્ણપણે ખોટી છે. CJI એ પૂછ્યું, ‘હિન્દુ મંદિરોના બોર્ડમાં બિન-હિન્દુઓનો સમાવેશ કેમ કરાતો નથી?’ AIMPLBએ 87 દિવસના વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) ના ‘વક્ફ બચાવો અભિયાન’નો પ્રથમ તબક્કો 11 એપ્રિલથી શરૂ થઈને 7 જુલાઈ સુધી એટલે કે 87 દિવસ સુધી ચાલુ રહેશે. આમાં, વક્ફ કાયદાના વિરોધમાં 1 કરોડ સહીઓ એકત્રિત કરવામાં આવશે, જે પીએમ મોદીને મોકલવામાં આવશે. આ પછી આગામી તબક્કાની રણનીતિ નક્કી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments