ટીવી શો અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી અને તેની સાવકી પુત્રી ઈશા વર્મા વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ફરી એકવાર ઈશાએ એક વીડિયો શેર કરી દાવો કર્યો છે કે તેનો પરિવાર તેને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ‘અનુપમા’ની સાવકી દીકરીનો પરિવાર પર ગંભીર આરોપ
16 એપ્રિલે ઈશાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ વીડિયો શેર કર્યો હતો, જેમાં તે રડતી જોવા મળી હતી. વીડિયોમાં ઈશા કહે છે, જ્યારે તમે મુશ્કેલ અને પીડાદાયક પરિસ્થિતિમાંથી પસાર થાઓ છો, ત્યારે તે ફક્ત તમારા પર જ નહીં પરંતુ અન્ય લોકો પર પણ અસર કરે છે. તમે થોડા દિવસ માટે તો સારા રહી શકો છો, પણ પછી તમે તૂટી જાઓ છો. જ્યારે તમે તમારો મુદ્દો રજૂ કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમને ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેમની તપાસ કરવામાં આવે છે. ઈશા આગળ કહે છે, મારો પોતાનો પરિવાર મને મારું જીવન જીવવાથી રોકવા અને મને બરબાદનો પ્રયાસ કરી રહ્યો છે. મેં ખુશ રહેવાનો પ્રયત્ન કર્યો. હું એક નેપો કિડ હતી, જેને હંમેશા પડછાયામાં રાખવામાં આવી હતી. હું મૌન, મૂંઝવણ અને પીડાના વાતાવરણમાં મોટી થઈ છું. એક એવો બોજ જે મારે સહન ન કરવો જોઈએ. જ્યારે સત્ય બહાર આવ્યું, ત્યારે દોષ મારા પર ઢોળવામાં આવ્યો. હું ડરી ગઈ હતી અને અસુરક્ષિત અનુભવતી હતી. લોકોનો સપોર્ટ મળવાને બદલે, હું શરમિંદ અનુભવી રહી હતી. પરંતુ મહિનાઓ સુધી ઉત્પીડનનો સામનો કર્યા પછી, આજે પણ હું મારા સત્ય પર અડગ છું. શું છે સમગ્ર મામલો?
થોડા સમય પહેલાં, વર્ષ 2020માં ઈશા વર્મા દ્વારા કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટ લાઈમલાઈટમાં આવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘આ ખૂબ જ ખરાબ છે, શું કોઈને રૂપાલી ગાંગુલીની સાચી સ્ટોરી નથી જાણતું. તેના અશ્વિન કે. વર્મા સાથે 12 વર્ષ સુધી સંબંધ હતા, જ્યારે તે સમયે અશ્વિનના લગ્ન પણ થઈ ગયેલાં હતાં. અશ્વિન વર્માને તેમના અગાઉનાં લગ્નથી 2 પુત્રીઓ છે. તે એક ક્રૂર મહિલા છે જેણે મને અને મારી બહેનને અલગ કરવાનો પ્રયાસ કર્યો.’ ઈશાએ આગળ લખ્યું હતું, હું આ બધું એટલા માટે કહી રહી છું કારણ કે તે દરેક જગ્યાએ એવો ઢોંગ કરે છે કે તે સુખી લગ્નજીવનમાં છે. જોકે વાસ્તવમાં તે મારા પિતા પ્રત્યે કંટ્રોલિંગ અને સાઈકોટિક છે. જ્યારે પણ હું મારા પિતાને ફોન કરું છું ત્યારે તે બૂમો પાડવા લાગે છે અને મને અને મારી માતાને મારી નાખવાની ધમકીઓ આપવા લાગે છે. રૂપાલીએ મારા પિતાની જિંદગી બરબાદ કરી છે અને પ્રેમ લગ્ન કર્યા છે તેવો ઢોંગ કરે છે તે યોગ્ય નથી. સાચું કહું તો તે એ જ રીતે વર્તે છે જે રીતે રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત સાથે કર્યું હતું. તે મારા પિતાને વિચિત્ર દવાઓ આપે છે અને તેમને કંટ્રોલ કરે છે. 50 કરોડનું વળતર અને જાહેર માફીની માગણી
રૂપાલી ગાંગુલીએ ઈશા વર્માને નોટિસ મોકલી હતી. જેમાં લખ્યું હતું કે- તેણે રૂપાલી ગાંગુલી માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે, જેનાથી તેની પ્રતિષ્ઠા અને ગરિમાને નુકસાન પહોંચ્યું છે. આના કારણે તેની કારકિર્દી પર પણ વિપરીત અસર પડી છે, તેને નુકસાન સહન કરવું પડ્યું છે. હવે ઈશા વર્માએ તરત જ માફી માગવી જોઈએ અને તેને નુકસાનની ભરપાઈ કરવા માટે 50 કરોડ રૂપિયાનું વળતર આપવું જોઈએ. જો તે આમ નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વર્ષ 2013માં રૂપાલી ગાંગુલીએ અશ્વિન સાથે લગ્ન કર્યાં હતાં. વર્મા સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં બંને 12 વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં. આ લગ્નથી દંપતીને એક પુત્ર છે. જ્યારે ઈશા તેની પહેલી પત્નીથી અશ્વિનની પુત્રી છે.