back to top
Homeમનોરંજન'લાઇન માટે માફી માગુ છું, પોસ્ટ માટે નહી માગું':અનુરાગ કશ્યપે કહ્યું- મારા...

‘લાઇન માટે માફી માગુ છું, પોસ્ટ માટે નહી માગું’:અનુરાગ કશ્યપે કહ્યું- મારા પરિવારની મહિલાઓએ તમારું શું બગાડ્યું?; તમે કેવા બ્રાહ્મણ છો તે નક્કી કરો

એક્ટર-ડિરેક્ટર અનુરાગ કશ્યપે બ્રાહ્મણ સમુદાય પરના પોતાના વાંધાજનક નિવેદન બદલ માફી માગી છે. શુક્રવારે મોડી રાત્રે તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તેણે લખ્યું- ‘હું માફી માગુ છું, પણ હું મારી પોસ્ટ માટે માફી માગતો નથી, પરંતુ તે એક લાઇન માટે માફી માગી રહ્યો છું જેને ખોટી રીતે લેવામાં આવી અને નફરત ફેલાવવામાં આવી.કોઈ પણ એક્શન કે સ્પીચ આપણી દીકરી, પરિવાર, મિત્રો અને પ્રિયજનો કરતાં વધુ મહત્ત્વની નથી. તેને બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જે લોકો પોતાને સંસ્કારી કહી રહ્યા છે તેઓ આ બધું કરી રહ્યા છે.’ તેણે આગળ લખ્યું – ‘તો જે કહેવામાં આવ્યું છે તે પાછું લઈ શકાતું નથી અને હું તે પાછું લઈશ નહીં, તમારે મને ગમે તેટલી ગાળો આપવી હોય તેટલી આપો.પરંતુ મારા પરિવારે તો કંઈ કહ્યું નથી અને કંઈ કહેશે પણ નહીં. તો જો તમે મને માફી માગવાનું કહેતા હો તો હું મારા પરિવાર માટે માફી માગું છું. બ્રાહ્મણો, કૃપા કરીને મહિલાઓને છોડો. આટલા સારા મૂલ્યો શાસ્ત્રોમાં પણ છે, ફક્ત મનુવાદમાં જ નથી. તમે કયા બ્રાહ્મણ છો તે નક્કી કરો? બાકી, મારા તરફથી માફી.’ હકીકત એમ છે કે, ફિલ્મ ‘ફુલે’ ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મના રિલીઝમાં વિલંબ અને CBFC દ્વારા કરવામાં આવેલા ફેરફારોથી હતાશ થઈને, અનુરાગે કેન્દ્ર સરકાર, બ્રાહ્મણ સમુદાય અને સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન પર અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ પછી, કશ્યપને બ્રાહ્મણ સમુદાય દ્વારા ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. અનુરાગ પર નિશાન સાધતા એક યુઝરે લખ્યું હતું- બ્રાહ્મણો તમારા પિતા છે, એનાથી જેટલી તમારી સળગતી હશે એટલી સળગાવશું અનુરાગની બે પોસ્ટ… પહેલી, જેના પર વિવાદ થયો બીજી પોસ્ટ, જેમાં તેણે માફી માગી અનુરાગ કશ્યપે બ્રાહ્મણો પર સવાલ ઉઠાવ્યા હતા અનુરાગ કશ્યપે બ્રાહ્મણોને ભારતમાં જાતિવાદ અસ્તિત્વમાં છે કે નહીં તે નક્કી કરવા કહ્યું હતું. તેમણે પ્રશ્ન કર્યો, ‘ધડક 2 ના સ્ક્રીનિંગ દરમિયાન, સેન્સર બોર્ડે અમને કહ્યું કે મોદીજીએ ભારતમાં જાતિ વ્યવસ્થા નાબૂદ કરી દીધી છે. આ કારણે, ‘સંતોષ’ પણ ભારતમાં રિલીઝ થઈ શકી નહીં. હવે બ્રાહ્મણો ‘ફુલે’ સામે વાંધો ઉઠાવી રહ્યા છે. ભાઈ, જો જાતિ વ્યવસ્થા જ ન હોય તો તમે બ્રાહ્મણ કેવી રીતે કહેવાવ? તમે કોણ છો? તમે કેમ ગુસ્સે થાઓ છો? ‘ભારતમાં હજુ કેટલી ફિલ્મો બ્લોક થશે?’ અનુરાગે બીજી એક વાર્તા શેર કરી અને લખ્યું, ‘પંજાબ 95’, ‘ટીસ’, ‘ધડક 2’, ‘ફુલે’ મને ખબર નથી કે જાતિવાદી, પ્રાંતવાદી,વંશવાદી સરકારના એજન્ડાને ઉજાગર કરતી કેટલી ફિલ્મો બ્લોક કરવામાં આવી હતી. તેઓને અરીસામાં પોતાનો ચહેરો જોઈને શરમ આવે છે. તેઓને શરમ આવે છે કે તે ખુલ્લેઆમ કહી પણ શકતા નથી કે ફિલ્મમાં એવું શું છે જે તેમને પરેશાન કરી રહ્યું છે, કાયરો.’ આ ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થવાની હતી વાસ્તવમાં પ્રતીક ગાંધી અને પત્રલેખા સ્ટારર ફિલ્મ ‘ફુલે’ વિવાદોમાં ઘેરાયેલી છે. સમાજ સુધારક દંપતી જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેના જીવન પર આધારિત આ ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી. આ ફિલ્મ પહેલા 11 એપ્રિલે રિલીઝ થવાની હતી. આ ફિલ્મ પર જાતિવાદ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વિવાદોને કારણે ફિલ્મની રિલીઝ તારીખ 25 એપ્રિલ કરવામાં આવી છે. તે જ સમયે, CBFC એ તેને ‘U’ પ્રમાણપત્ર આપ્યું છે. સેન્સર બોર્ડે નિર્માતાઓને તેમાં ઘણા ફેરફારો કરવા પણ કહ્યું. ફિલ્મમાંથી ઘણા શબ્દો કાઢી નાખવામાં આવ્યા હતા સેન્સર બોર્ડે નિર્માતાઓને ફિલ્મમાં ઘણા ફેરફારો કરવા કહ્યું હતું હતું. ફિલ્મમાંથી ‘માંગ’, ‘મહર’, ‘પેશવાઈ’ જેવા શબ્દો કાઢી નાખવામાં આવ્યા હતા. ઉપરાંત, ‘3000 સાલ પુરાની ગુલામી’ ડાયલોગને બદલીને ‘કઈ સાલ પુરાની ગુલામી’માં બદલી નાખવામાં આવ્યો. આ ફિલ્મનું ડિરેક્શન અનંત મહાદેવન દ્વારા કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments