back to top
Homeમનોરંજનએક્ટર ફવાદ ખાને આતંકી હુમલાને ઘૃણાસ્પદ ગણાવ્યો:હાનિયા આમિરે કહ્યું- 'પીડાને કોઈ દેશ...

એક્ટર ફવાદ ખાને આતંકી હુમલાને ઘૃણાસ્પદ ગણાવ્યો:હાનિયા આમિરે કહ્યું- ‘પીડાને કોઈ દેશ કે ભાષા હોતાં નથી, મારું હૃદય પીડિતો સાથે છે’

22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 28 લોકો માર્યા ગયા હતા. હુમલાના બીજા દિવસે, ભારતે તેના માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું અને તેના જવાબમાં ઘણા મોટા નિર્ણયો લીધા.આ હુમલામાં કેટલાક પાકિસ્તાની આતંકવાદીઓ પણ સામેલ હતા. એક તરફ ભારતે પાકિસ્તાન પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે, તો બીજી તરફ કેટલાક પાકિસ્તાની કલાકારો આતંકવાદી હુમલા પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનનો પણ સમાવેશ થાય છે, જે ‘અબીર ગુલાલ’ ફિલ્મથી બોલિવૂડમાં વાપસી કરવાના હતા, પરંતુ હવે ફિલ્મ ફેડરેશને ફરીથી પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં લોકપ્રિય બની ગયેલી પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, ‘દુર્ઘટના, જ્યાં પણ થાય છે, તે આપણા બધા માટે દુર્ઘટના જ છે.’ મારું હૃદય તાજેતરની ઘટનાના પીડિતો સાથે છે. હું દુઃખમાં છું, શોકમાં છું અને આશા રાખું છું કે આપણે બધા એક છીએ. જ્યારે કોઈ નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે, ત્યારે તે પીડા ફક્ત તેની જ નહીં પરંતુ આપણા બધાની હોય છે. આપણે ક્યાંના છીએ તેનાથી કોઈ ફરક પડતો નથી, પીડાની કોઈ ભાષા હોતી નથી. આશા છે કે આપણે બધા હંમેશા માનવતા પસંદ કરીશું.’ ફવાદ ખાન, જે ટૂંક સમયમાં ફિલ્મ ‘અબીર ગુલાલ’થી વાપસી કરી રહ્યો છે, તેણે આતંકવાદી હુમલા પર લખ્યું: ‘પહલગામમાં થયેલા જઘન્ય હુમલા વિશે સાંભળીને મને દુઃખ થયું છે.’ આ ભયાનક અકસ્માતના પીડિતો સાથે અમારી સંવેદના છે અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારોને શક્તિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ.’ નોંધનીય છે કે, ફવાદ ખાનની બોલિવૂડ કમબેક ફિલ્મ અબીર ગુલાલ 9 મેના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. જોકે, આ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. FWICE એ જાહેરાત કરી, પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવશે ફિલ્મ ફેડરેશન FWICE ના મુખ્ય સલાહકાર અશોક પંડિતે બુધવારે સત્તાવાર રીતે ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધની જાહેરાત કરી. પહેલગામ હુમલા બાદ તેમણે આ કાર્યવાહી કરી છે. જારી કરાયેલા નિવેદન અનુસાર, ભારતીય કલાકારો હવે કોઈપણ રીતે પાકિસ્તાની કલાકારો, સિંગર કે ટેકનિશિયન સાથે કામ કરશે નહીં. નિવેદનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફિલ્મ ‘અબીર ગુલાલ’ પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સાથે બનાવવામાં આવી છે, જો કે આ નિર્ણય તેમના પર પણ લાગુ પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments