22 એપ્રિલે પહેલગામ હુમલામાં 3 ગુજરાતી સહિત 26 પ્રવાસીઓના મોત બાદ દેશ ગમગીન છે. મોડીરાત્રે મૃતકોના મૃતદેહ વતન પરત લાવ્યા બાદ આજે સવારે મૃતદેહને અગ્નિદાહ અપાયા હતા. ત્યારે આજે રાજ્યભરમાં નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.