back to top
Homeગુજરાતકાશ્મીર હુમલાના વિરોધમાં પાલનપુરમાં આક્રોશ:રામલીલા મેદાનમાં યુવાનોએ આતંકવાદીઓના પૂતળાનું દહન કર્યું

કાશ્મીર હુમલાના વિરોધમાં પાલનપુરમાં આક્રોશ:રામલીલા મેદાનમાં યુવાનોએ આતંકવાદીઓના પૂતળાનું દહન કર્યું

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં પાલનપુર શહેરમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. પહલ ગામથી છ કિલોમીટર દૂર આવેલા પર્યટક સ્થળે થયેલા આતંકી હુમલામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના વિરોધમાં પાલનપુરના રામલીલા મેદાનમાં યુવાનોએ એકત્રિત થઈને આતંકવાદીઓના પૂતળાને ફાંસીના માંચડે ચઢાવ્યું હતું. યુવાનોએ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પૂતળાનું દહન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments