back to top
Homeમનોરંજન'ફેમસ થતાં જ મેં પતિને છોડ્યો એવો આરોપ ન લગાવો':પૂર્વ પતિના મોત...

‘ફેમસ થતાં જ મેં પતિને છોડ્યો એવો આરોપ ન લગાવો’:પૂર્વ પતિના મોત બાદ એક્ટ્રેસ શુભાંગીએ મૌન તોડ્યું; કહ્યું- તેમની દારૂની લતે અમને જુદા કરી દીધા

ટીવી શો ‘ભાબીજી ઘર પર હૈ’ ફેમ એક્ટ્રેસ શુભાંગી અત્રેના પૂર્વ પતિ પીયૂષ પુરેનું તાજેતરમાં નિધન થયું છે. આ દુ:ખદ ઘટના પછી, શુભાંગીને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલનો સામનો કરવો પડ્યો. પ્રખ્યાત થયા પછી તેના પતિને છોડી દેવાનો આરોપ હતો. જોકે, હવે શુભાંગીએ આ આરોપો પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે તેણે પરસ્પર મતભેદોને કારણે પીયુષથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. શુભાંગી અત્રેએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં તેમના પૂર્વ પતિ પિયૂષ પુરેના નિધન વિશે વાત કરી. શુભાંગીએ કહ્યું, ‘મેં 16 એપ્રિલે તેમની સાથે વાત કરી હતી અને તેમના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી. તેમના અચાનક અવસાનથી હું ખૂબ જ ભાવુક અને આઘાતમાં છું. હું પીયુષને બધી સારી બાબતો માટે યાદ રાખવા માગું છું. હું ટૂંક સમયમાં તેમના પરિવારને મળવા ઇન્દોર જઈશ. અમારી દીકરી આશી અમેરિકામાં અભ્યાસ કરે છે. તેની પરીક્ષાઓ પૂરી થતાંની સાથે જ અમે બંને તેના ઘરે જઈશું.’ પીયૂષના મૃત્યુ પછી, શુભાંગી સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થવા લાગી.એવું કહેવામાં આવતું હતું કે ખ્યાતિ મેળવ્યા પછી, તેણે તેના પતિને છોડી દીધો. આના જવાબમાં શુભાંગીએ કહ્યું, ‘લોકોને આખી વાત જાણ્યા વિના જજ કરવું ખૂબ જ સરળ છે.’ તેઓ માને છે કે મેં મારી સફળતાને કારણે તે(પીયુષ)ને છોડી દીધો, પરંતુ તે સાચું નથી. અમારા અલગ થવાનું સાચું કારણ વર્ષોનો ઝઘડો હતો. મેં તેને એટલા માટે છોડ્યો નહીં કે હું સફળ થઈ, પણ મેં એટલા માટે છોડી દીધો કારણ કે તેના દારૂના વ્યસનની અમારા જીવન પર ખૂબ જ નકારાત્મક અસર પડી રહી હતી.’ ‘મેં મારા લગ્ન બચાવવા માટે મારાથી બનતા બધા પ્રયાસો કર્યા, પણ પછી એક સમય આવ્યો જ્યારે મારા હાથમાં કંઈ જ નહોતું. તેને રિહેબ(પુનર્વસન) માટે મોકલ્યો પણ કોઈ અસર થઈ નહીં.અમારા બંને પરિવારોએ પણ તેને મદદ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ દારૂના વ્યસને તેમને બરબાદ કરી દીધા.’ શુભાંગીએ આગળ કહ્યું- ‘અમારા છૂટાછેડા પછી પણ હું પીયૂષના સંપર્કમાં રહી. મારા તેના પરિવાર સાથે પણ સારા સંબંધો છે. આ દારૂનું વ્યસન ફક્ત વ્યક્તિને જ બરબાદ કરતું નથી, પરંતુ તેની આસપાસના દરેકને પણ અસર કરે છે, ખાસ કરીને બાળકોને આનાથી ઘણીવાર ચૂપચાપ સહન કરવું પડે છે.’ ‘મને લાગે છે કે મારી દીકરીએ મારા કરતાં વધુ સહન કર્યું છે. હું યુવાનોને કહેવા માંગુ છું કે ડ્રગ્સનું વ્યસન એક પીડાદાયક અને ક્યારેય સમાપ્ત ન થાય તેવું ચક્ર છે જે બહુ ઓછા લોકો સમજી શકે છે સિવાય કે તેઓ તેમાંથી પસાર થયા હોય.’ શુભાંગી-પીયૂષના લગ્ન 2003માં થયા હતા શુભાંગી અત્રે અને પીયૂષના લગ્ન 2003માં થયા હતા. આ લગ્નથી તેમને એક પુત્રી આશી છે. જોકે, વર્ષ 2023માં આ કપલે સંયુક્ત નિવેદન આપીને સત્તાવાર રીતે તેમના અલગ થવાની જાહેરાત કરી હતી.એક્ટ્રેસે કહ્યું હતું કે તે તેના પતિથી અલગ થઈ રહી છે, જોકે, તે વખતે તેમની પુત્રી માટે, તેમણે છૂટાછેડા લીધા નહી. બંને વર્ષ 2022 થી અલગ રહેવા લાગ્યા હતા. પરંતુ 5 ફેબ્રુઆરી, 2025 ના રોજ શુભાંગી અત્રે અને પીયૂષ પૂરેએ છૂટાછેડા લઈ લીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments